Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vijayadashami 2022: કોણ હતી મંદોદરી? કેવી રીતે અને કેમ રાવણ સાથે કર્યા હતા લગ્ન?

આજે ચારે બાજુ દશેરાની ઉજવણી થઈ રહી છે, આજે બધા રાવણની વાત કરી રહ્યા છે. રાવણના માયાવી હોવા અને તેની શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાવણની પત્ની મંદોદરી વિશે કોઈ વાત કરતું નથી, જે રાક્ષસની પત્ની હોવા છતાં શિવની મહ

આજે ચારે બાજુ દશેરાની ઉજવણી થઈ રહી છે, આજે બધા રાવણની વાત કરી રહ્યા છે. રાવણના માયાવી હોવા અને તેની શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાવણની પત્ની મંદોદરી વિશે કોઈ વાત કરતું નથી, જે રાક્ષસની પત્ની હોવા છતાં શિવની મહાન ભક્ત હતી. તેના પતિ રાવણની જેમ, તે પણ સવાર-સાંજ ભગવાન શંકરની પૂજા કરતી હતી, પરંતુ તે ક્યારેય તેના પતિની જેમ અભિમાન કરતી નહોતી.

સીતાનુ અપહરણ કરી કર્યુ અધર્મ

સીતાનુ અપહરણ કરી કર્યુ અધર્મ

મંદોદરી જાણતી હતી કે તેના પતિએ સીતાનું અપહરણ કરીને અધર્મ કર્યુ છે, તેથી તેનો વિનાશ નિશ્ચિત છે. મંદોદરીએ રાવણને વારંવાર સીતાને રામ પાસે પાછા મોકલવા માટે સમજાવ્યો હતો, પરંતુ તેના અહંકારમાં પાગલ રાવણે તેની વાત સાંભળી નહીં.

સુંદર, શક્તિશાળી અને ધાર્મિક

સુંદર, શક્તિશાળી અને ધાર્મિક

મંદોદરીએ ધર્મનું પાલન કરતાં રાવણને સાચા-ખોટાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્ની ધર્મ નિભાવતાં તેણે જીવનના અંત સુધી પતિનો સાથ આપ્યો હતો. મંદોદરીના પાત્રને વાલ્મીકિએ ચારિત્ર્યવાન સ્ત્રી તરીકે વર્ણવ્યું છે, જે સુંદર, શક્તિશાળી, ચતુર અને ધાર્મિક હતી.

અપ્સરાના ગર્ભમાંથી મંદોદરીએ લીધો હતો જન્મ

અપ્સરાના ગર્ભમાંથી મંદોદરીએ લીધો હતો જન્મ

પૌરાણિક કથાઓ વર્ણવે છે કે મંદોદરીનો જન્મ અપ્સરા હેમાના ગર્ભમાંથી થયો હતો, જે પાછળથી અસુર માયાસુરને પરણી હતી. તેથી મંદોદરીને માયાસુરની પુત્રી કહેવામાં આવી હતી. માયાસુરને બ્રહ્મા તરફથી એક વરદાન મળ્યું હતું કે તે ગમે ત્યાં સુંદર બગીચો બનાવી શકે છે અને આ વરદાન પછી માયાસુરે મંડોર શહેરનું નિર્માણ કર્યું, જે હાલ રાજસ્થાનમાં છે. આ શહેરની સુંદરતાનું વર્ણન સાંભળીને રાવણને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ અને તે માયાસુરને મળવા ત્યાં પહોંચી ગયો હતો.

માયાસુરના રાજ્ય ખતમ કરવાની આપી હતી ધમકી

માયાસુરના રાજ્ય ખતમ કરવાની આપી હતી ધમકી

મંડોર પહોંચતા જ તેની નજર મંદોદરી પર પડી, જેને જોઈને તે તેના પર મોહિત થઈ ગયો અને તેણે તરત જ માયાસુરની સામે મંદોદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. મંદોદરીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, પરંતુ આનાથી રાવણ ખૂબ ગુસ્સે થયો અને તેણે માયાસુરના સામ્રાજ્યને ખતમ કરવાની ધમકી આપી હતી.

આ કારણે કર્યા લગ્ન

આ કારણે કર્યા લગ્ન

મંદોદરી જાણતી હતી કે લંકાપતિને હરાવવાનું સરળ નથી અને તેથી જ તે રાવણ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. આ લગ્નથી રાવણ અને મંદોદરીને ઈન્દ્રજિત, મેઘનાદ, મહોદર, પ્રહસ્ત, વિરૂપાક્ષ ભીકમન જેવા બહાદુર પુત્રો થયા. જો કે, મંદોદરી સિવાય રાવણને પણ બે પત્નીઓ હતી. તેમના નામ માયા અને ધન્યમાલિની હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X