Vijayadashami 2022: કોણ હતી મંદોદરી? કેવી રીતે અને કેમ રાવણ સાથે કર્યા હતા લગ્ન?
આજે ચારે બાજુ દશેરાની ઉજવણી થઈ રહી છે, આજે બધા રાવણની વાત કરી રહ્યા છે. રાવણના માયાવી હોવા અને તેની શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાવણની પત્ની મંદોદરી વિશે કોઈ વાત કરતું નથી, જે રાક્ષસની પત્ની હોવા છતાં શિવની મહ
આજે ચારે બાજુ દશેરાની ઉજવણી થઈ રહી છે, આજે બધા રાવણની વાત કરી રહ્યા છે. રાવણના માયાવી હોવા અને તેની શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાવણની પત્ની મંદોદરી વિશે કોઈ વાત કરતું નથી, જે રાક્ષસની પત્ની હોવા છતાં શિવની મહાન ભક્ત હતી. તેના પતિ રાવણની જેમ, તે પણ સવાર-સાંજ ભગવાન શંકરની પૂજા કરતી હતી, પરંતુ તે ક્યારેય તેના પતિની જેમ અભિમાન કરતી નહોતી.

સીતાનુ અપહરણ કરી કર્યુ અધર્મ
મંદોદરી જાણતી હતી કે તેના પતિએ સીતાનું અપહરણ કરીને અધર્મ કર્યુ છે, તેથી તેનો વિનાશ નિશ્ચિત છે. મંદોદરીએ રાવણને વારંવાર સીતાને રામ પાસે પાછા મોકલવા માટે સમજાવ્યો હતો, પરંતુ તેના અહંકારમાં પાગલ રાવણે તેની વાત સાંભળી નહીં.

સુંદર, શક્તિશાળી અને ધાર્મિક
મંદોદરીએ ધર્મનું પાલન કરતાં રાવણને સાચા-ખોટાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્ની ધર્મ નિભાવતાં તેણે જીવનના અંત સુધી પતિનો સાથ આપ્યો હતો. મંદોદરીના પાત્રને વાલ્મીકિએ ચારિત્ર્યવાન સ્ત્રી તરીકે વર્ણવ્યું છે, જે સુંદર, શક્તિશાળી, ચતુર અને ધાર્મિક હતી.

અપ્સરાના ગર્ભમાંથી મંદોદરીએ લીધો હતો જન્મ
પૌરાણિક કથાઓ વર્ણવે છે કે મંદોદરીનો જન્મ અપ્સરા હેમાના ગર્ભમાંથી થયો હતો, જે પાછળથી અસુર માયાસુરને પરણી હતી. તેથી મંદોદરીને માયાસુરની પુત્રી કહેવામાં આવી હતી. માયાસુરને બ્રહ્મા તરફથી એક વરદાન મળ્યું હતું કે તે ગમે ત્યાં સુંદર બગીચો બનાવી શકે છે અને આ વરદાન પછી માયાસુરે મંડોર શહેરનું નિર્માણ કર્યું, જે હાલ રાજસ્થાનમાં છે. આ શહેરની સુંદરતાનું વર્ણન સાંભળીને રાવણને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ અને તે માયાસુરને મળવા ત્યાં પહોંચી ગયો હતો.

માયાસુરના રાજ્ય ખતમ કરવાની આપી હતી ધમકી
મંડોર પહોંચતા જ તેની નજર મંદોદરી પર પડી, જેને જોઈને તે તેના પર મોહિત થઈ ગયો અને તેણે તરત જ માયાસુરની સામે મંદોદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. મંદોદરીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, પરંતુ આનાથી રાવણ ખૂબ ગુસ્સે થયો અને તેણે માયાસુરના સામ્રાજ્યને ખતમ કરવાની ધમકી આપી હતી.

આ કારણે કર્યા લગ્ન
મંદોદરી જાણતી હતી કે લંકાપતિને હરાવવાનું સરળ નથી અને તેથી જ તે રાવણ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. આ લગ્નથી રાવણ અને મંદોદરીને ઈન્દ્રજિત, મેઘનાદ, મહોદર, પ્રહસ્ત, વિરૂપાક્ષ ભીકમન જેવા બહાદુર પુત્રો થયા. જો કે, મંદોદરી સિવાય રાવણને પણ બે પત્નીઓ હતી. તેમના નામ માયા અને ધન્યમાલિની હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
