શા માટે હિંદુઓ કરે છે અગ્નિસંસ્કાર?
જીવનની અંતિમ વિધી વ્યક્તિના જીવનની દુન્વયી ફરજોનું અંતિમ પ્રકરણ છે. મૃત વ્યક્તિઓને અપાતી વિવિધ રીતો સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ હોય છે. હિન્દુઓમાં અગ્નિસંસ્કાર, મુસ્લિમોમાં અને ખ્રિસ્તીઓમાં મૃતદેહોને દફનાવામાં આવે છે. પારસીઓમાં તો અનોખી રીતે અંતિમ વિધિ કરવામાં આવે છે. પારસીઓમાં મૃતદેહોને મૃત્યુના ટાવર પર મુકી દેવામાં આવે છે, જ્યાં ગીધો એ મૃતદેહોનો આહારમાં ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃ વિશ્વના કેટલાક અનોખા Funeral Tradition
અંતિમ વિધિ ગમે તે હોય પરંતુ એ કરવા પાછળ કોઇ રહસ્ય અને કારણ જરૂર રહેલું હોય છે. હિન્દુ ધર્મ અંગે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.. જેના કારણે હિન્દુ ધર્મની આ વિધિ અન્ય પંથો અને ધર્મોના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હિન્દુ ધર્મમાં કરવામાં આવતી આ અંતિમ વિધિ અનેક રીતે અનન્ય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શા માટે કરવામાં આવે છે અગ્નિસંસ્કાર.
આ પણ વાંચોઃ- અદ્દલ શિવલિંગ જેવું છે વેટિકન સિટી
આ પણ વાંચોઃ- ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

અંતિમ સંસ્કારનું મહત્વ
અંતિમ સંસ્કાર અથવા તો અંતિમ વિધિનું એક અલગ મહત્વ છે, કારણ કે તેને બીજી દુનિયા તરફ લઇ જવાનો માર્ગ માનવામાં આવે છે. આ જ કારણે અંતિમ વિધિને દૂરના સ્થળે કરવામાં આવે છે.

બીજી દુનિયા
હિન્દુઓ બીજી દુનિયામાં વિશ્વાસ ધરાવે છે. તેમને એવી આસ્થા છેકે મૃત્યુ પછી મૃત્યુ પામનારનો આત્મા આ દુનિયા છોડીને બીજી દુનિયામાં જતો રહે છે, અને જીવવાનું ચાલું રાખે છે તથા પુનર્જન્મની પ્રતિક્ષા કરે છે. તેથી તેને આ નશ્વર દુનિયામાંથી મુક્ત કરવા માટે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

અગ્નિસંસ્કાર આપવા પાછળનો ઉદ્દેશ્ય
અગ્નિસંસ્કાર એટલા માટે આપવામાં આવે છેકે જેથી મૃત્યુ બાદ આત્માને આ નશ્વર દેહ પ્રત્યે કોઇ આકર્ષણ રહે નહીં અને તે બીજી દુનિયામાં જઇ શકે અને ફરીથી જન્મ લઇ શકે. તેથી શરીરને અગ્નિ આપવાથી આ જન્મ સાથેના તમામ સંબંધોથી તને દૂર કરવામાં આવે છે અને આત્માને એક અલગ દુનિયામાં મોકલવામાં આવે છે.

પવિત્ર અગ્નિ
હિન્દુઓમાં અગ્નિને પવિત્ર માનવામાં આવે છે. જ્યાં સુધી કંઈ જ બાકી ના રહે ત્યાં સુધી પાર્થિવ શરીર સળગતું રહે છે. આનાથી ઉલટું જ્યારે શરીરને બાળવામાં આવ્યા ત્યારે તે પ્રક્રિયા ઘણી જ ધીમી હોય છે અને તેને પંચ મહાભૂતમાં ભળતા ઘણો જ સમય લાગે છે. તેથી શરીરને અગ્નિ આપીને આત્મને સહેલાયથી આ જન્મ સાથેનાં તમામ સંબંધોથી મુક્ત કરવામાં આવે છે. હિન્દુઓ શરીરને અગ્નિ આપીને ભૌતિક વિશ્વથી અલગ કરીને બીજી દુનિયામાં આત્માને મોકલવામાં આવે છે, જ્યાં તે જીવીત રહે છે અને બીજા જન્મની પ્રતિક્ષા કરે છે.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ -
Weather Today: દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત! 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: આકરી ગરમી માટે રહો તૈયાર, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ








Click it and Unblock the Notifications
