For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો આપ પણ કહેશો કે અમારે નથી જોઇતું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી!

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે ભારતમાં ભલે વ્યક્તિની કદર ના હોય પરંતુ તેની બનેલી પત્થરની મૂર્તિની કદર ઘણી થાય છે અને ઘણા રૂપિયા ખર્ચ કરીને ઠેર-ઠેર મૂર્તિઓ પણ લગાવી દેવામાં આવે છે. એવું જ કંઇક સરદાર પટેલની મૂર્તિની સાથે થઇ રહ્યું છે. ઇંડિયા સ્પેંડ ડોટ કોમના અહેવાલ અનુસાર કેટલાંક તથ્યો સામે આવ્યા છે, જેને વાંચ્યા બાદ આપ પણ કહેશો કે અમારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નહીં વીજળી માટે સોલર પ્લાંટ જોઇએ.

statue
માત્ર મૂર્તિ પર ખર્ચાઇ જશે 2,979 કરોડ રૂપિયા
દેશના મહાન નેતાઓમાંના એક અને પૂર્વ ઉપ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ હવે ગુજરાતમાં બનાવવામાં આવી રહી છે. 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ના તર્જ પર બની રહી છે 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી', જેને બનાવવામાં લગભગ 488 મિલિયન ડોલર એટલે કે 2,979 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. હા, આટલી રકમ માત્ર એક મૂર્તિ બનાવવામાં ખર્ચ થઇ જશે.

આટલી રકમથી બદલાઇ શકે છે દેશની સૂરત
શું આપ જાણો છો કે આ રકમથી વડાપ્રધાન જો ઇચ્છે તો પોતાનું એક સપનું સાકાર કરી શકે છે. એ સપનુ જેનો ઉલ્લેખ તેમણે જાતે કર્યો હતો અને જે દેશમાં સારા વૈજ્ઞાનિક અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ એંડ ડેવલપમેંટ સાથે જોડાયેલ છે. એક નજર નાખીએ આ રકમથી ભારતમાં શું શું કરી શકાય એમ છે.

ભારતની પાસે 5 'મૉમ'
ભારત આટલી રકમથી એક નહી, બે નહીં પરંતુ આખા પાંચ માર્સ ઓર્બિટર મિશન એટલે કે મૉમને તૈયાર કરી શકે છે. એક મિશન પર લભભગ 450 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

mission
એટલી સોલર એનર્જી કે વીજળીની ઊણપ નહી સર્જાય
દેશમાં વીજળીની ખૂબ જ ઊણપ છે અને ખુદ પીએમ મોદીએ પણ તેનો ઉલ્લેખ એક મજબૂત વિકપ્લ માટે કર્યો છે. જો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની વાત કરીએ તો ભારતમાં આટલી રકમથી 425 સોલર પ્લાંટ્સ તૈયાર કરી શકાય છે. દરેક સોલર પ્લાંટ્સ પર 7.7 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની સંભાવના છે.

solar
અમેરિકાથી મળી શકશે હારપૂન મિસાઇલ
અમેરિકાની હારપૂન મિસાઇલોને દુનિયામાં સૌથી એડવાંસ મિસાઇલ માનવામાં આવે છે. ભારતને આ રકમથી હારપૂન મિસાઇલ હાસલ થઇ શકશે. જે ભારતના ડિફેંસ સેક્ટરને ઘણા પગલાઓ આગળ લઇ જઇ શકે છે. એક હારપૂન મિસાઇલની કિંમત લગભગ 400 મિલિયન ડોલર છે એટલે 2,440 કરોડ રૂપિયા છે.

missile
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કે મેટ્રો કોચ
દિલ્હી મેટ્રો જેના એક કોચની કિંમત લગભગ 1.1 મિલિયન ડોલર છે, આ રકમથી તેના માટે લગભગ 425 મેટ્રો કોચ આવી શકે છે.

metro
વધુ ત્રણ આઇઆઇટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે દેશમાં વધારેમાં વધારે યુવાનો વધારે પ્રતિભાવાન વૈજ્ઞાનિક તૈયાર થઇ શકે. જે રકમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર ખર્ચ કરવામાં આવી રહી છે, તેનો પ્રયોગ જો એ ઉદ્દેશ્યથી કરવામાં આવે તો દેશમાં ત્રણ આઇઆઇટી તૈયાર કરવામાં આવી શકે છે. એક આઇઆઇટીને તૈયાર કરવામાં લગભગ 760 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.

iit
English summary
What can be done with the amount of 488 million dollar cost of statue of Unity in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X