પ્રેગનન્ટ મહિલાઓના હાથ પર કેમ મહેંદી ન લગાવવી જોઈએ? જાણો શું કહે છે દાદીમાંનું વિજ્ઞાન?
ભારતીય પરંપરાઓમાં ઘણી એવી વસ્તુઓ છે જે સદીઓથી ચાલી આવે છે અને વિજ્ઞાન પણ તેની પાછળના કારણોની પૃષ્ટિ કરે છે.
આવુ જ એક કારણ પ્રેગનન્ટ મહિલાઓના હાથ પર મહેંદી લગાવવાનું છે. ભારતીય પરંપરામાં ઘરના વડિલો આમ ન કરવા કહે છે.

સામાન્ય રીતે સારા પ્રસંગોમાં મહિલાઓના હાથ પર મહેંદી લગાવવામાં આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. જો કે તેનાથી વિપરીત પ્રેગનન્ટ મહિલાઓના હાથમાં મહેંદી લગાવાતી નથી.
ઘરના વડીલો પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને મહેંદી લગાવવાની મનાઈ ફરમાવે છે. આ દરમિયાન ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુઓ કરવાથી ગર્ભાશયમાં ઉછરતા બાળકને નુકસાન થઈ શકે છે. આમાંથી એક મહેંદી લગાવવાનું છે. એટલા માટે જ ગર્ભવતી મહિલાઓને મહેંદી લગાવવાની મનાઈ કરાય છે.
સામાન્ય નજરે આધારહીન લાગતી આ પરંપરાના મુળ સદીઓ જુના છે. મહેંદી લગાવવાથી થતા નુકસાનનું વર્ણન શાસ્ત્ર અને વિજ્ઞાનમાં પણ છે. જ્યોતિષ અનુસાર, મહેંદી શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે જે સુખ, પ્રેમ અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે. મહેંદી લગાવવાથી શુક્ર ગ્રહની ઉર્જા વધુ તીવ્ર બને છે અને સુમેળ, સમૃદ્ધિ અને ભાવનાત્મક સંતુલન જળવાય રહે છે.
આ જ કારણે પરિણીત મહિલાઓ માટે હાથ પર મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન મેંદી ન લગાવવાની સલાહ આપવામાં આવે છે. આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની ગ્રહોના પ્રભાવ પ્રત્યે સંવેદનશીલતા નોંધપાત્ર રીતે વધી જાય છે.
જાણકારોના મતે ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવતી વખતે સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં કોઈપણ પ્રકારનું રસાયણ ન હોવું જોઈએ. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારે ભેળસેળવાળી મહેંદીનો ઉપયોગ ન કરવો જોઈએ.
કૃત્રિમ અથવા રાસાયણિક આધારિત મેંદી લગાવવાથી ત્વચાની પ્રતિક્રિયાઓ અથવા એલર્જી થઈ શકે છે, જે ગર્ભાવસ્થા માટે હાનિકારક છે. તેથી આ સમયે તમારે કુદરતી મેંદીનો ઉપયોગ કરવો જોઈએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
