પ્રેગનન્ટ મહિલાઓના હાથ પર કેમ મહેંદી ન લગાવવી જોઈએ? જાણો શું કહે છે દાદીમાંનું વિજ્ઞાન?
ભારતીય પરંપરાઓમાં ઘણી એવી વસ્તુઓ છે જે સદીઓથી ચાલી આવે છે અને વિજ્ઞાન પણ તેની પાછળના કારણોની પૃષ્ટિ કરે છે.
આવુ જ એક કારણ પ્રેગનન્ટ મહિલાઓના હાથ પર મહેંદી લગાવવાનું છે. ભારતીય પરંપરામાં ઘરના વડિલો આમ ન કરવા કહે છે.

સામાન્ય રીતે સારા પ્રસંગોમાં મહિલાઓના હાથ પર મહેંદી લગાવવામાં આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. જો કે તેનાથી વિપરીત પ્રેગનન્ટ મહિલાઓના હાથમાં મહેંદી લગાવાતી નથી.
ઘરના વડીલો પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને મહેંદી લગાવવાની મનાઈ ફરમાવે છે. આ દરમિયાન ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુઓ કરવાથી ગર્ભાશયમાં ઉછરતા બાળકને નુકસાન થઈ શકે છે. આમાંથી એક મહેંદી લગાવવાનું છે. એટલા માટે જ ગર્ભવતી મહિલાઓને મહેંદી લગાવવાની મનાઈ કરાય છે.
સામાન્ય નજરે આધારહીન લાગતી આ પરંપરાના મુળ સદીઓ જુના છે. મહેંદી લગાવવાથી થતા નુકસાનનું વર્ણન શાસ્ત્ર અને વિજ્ઞાનમાં પણ છે. જ્યોતિષ અનુસાર, મહેંદી શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે જે સુખ, પ્રેમ અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે. મહેંદી લગાવવાથી શુક્ર ગ્રહની ઉર્જા વધુ તીવ્ર બને છે અને સુમેળ, સમૃદ્ધિ અને ભાવનાત્મક સંતુલન જળવાય રહે છે.
આ જ કારણે પરિણીત મહિલાઓ માટે હાથ પર મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન મેંદી ન લગાવવાની સલાહ આપવામાં આવે છે. આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની ગ્રહોના પ્રભાવ પ્રત્યે સંવેદનશીલતા નોંધપાત્ર રીતે વધી જાય છે.
જાણકારોના મતે ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવતી વખતે સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં કોઈપણ પ્રકારનું રસાયણ ન હોવું જોઈએ. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારે ભેળસેળવાળી મહેંદીનો ઉપયોગ ન કરવો જોઈએ.
કૃત્રિમ અથવા રાસાયણિક આધારિત મેંદી લગાવવાથી ત્વચાની પ્રતિક્રિયાઓ અથવા એલર્જી થઈ શકે છે, જે ગર્ભાવસ્થા માટે હાનિકારક છે. તેથી આ સમયે તમારે કુદરતી મેંદીનો ઉપયોગ કરવો જોઈએ.












Click it and Unblock the Notifications
