મકર સંક્રાતિ પર પતંગ ચગાવવાથી થાય છે ફાયદા, જાણો ધાર્મિક મહત્વ
મકરસંક્રાતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે જ આ દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે.
મકરસંક્રાતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે જ આ દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ આગળ વધે છે, જેનાથી દિવસ મોટા થાય છે અને રાત નાની થવા લાગે છે. એટલે તેને ઉત્તરાયણ પણ કહે છે.
આ દિવસે તલ અને ગોળ ખાઈને પતંગ ચગાવવાનું ખાસ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? શું તમે જાણો છો કે પતંગ ચગાવવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે?
આ પણ વાંચો: મકર સંક્રાંતિએ શા માટે થાય છે તલનું દાન અને કેમ ખવાય છે ખીચડી?

મકર સંક્રાતિં પર પતંગ ચગાવવાનું ધાર્મિક મહત્વ
માન્યતા છે કે મકરસંક્રાતિ પર પતંગ ચગાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયે શરૂ થઈ હતી. તમિલના તન્દનાનરામાયણ પ્રમાણે મકરસંક્રાતિના દિવસે રામે પતંગ ચગાવ્યો હતો, પતંગ ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો.

પતંગ ચગાવવાથી આરોગ્યને થતાં લાભ
સૂર્યના ઉત્તરાયણને કારણે તેના કિરણો માનવ શરીર માટે ઔષધિનું કામ કરે છે. એટલે જ પતંગ ચગાવવા દરમિયાન શરીરને સતત સૂર્ય પ્રકાશ મળે છે. જેનાથી શરીરને વિટામિન ડી મળે છે. વિટામિન ડી હાડકા માટે ફાયદાકારક છે. સાથે જ તડકો શિયાળામાં થતી સ્કિન સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

તલ અને ગોળ ખાવાનો પણ ફાયદો
મકરસંક્રાંતિના સમયે ઉત્તર ભારતમાં ઠંડી પડે છે. એટલે તલ અને ગોળ ખાવાની સલાહ વિજ્ઞાન પણ આપે છે. એમ કરવાથી શરીરને ઉર્જા મળે છે. જે શિયાળામાં શરીરની સુરક્ષા માટે મદદગાર સાબિત થાય છે.

મનુષ્યની કાર્યક્ષમતા વધે છે
પુરાણો અને વિજ્ઞાન બંનેમાં સૂર્યની ઉત્તરાયણની સ્થિતિનું વધુ મહત્વ છે. સૂર્યનો ઉત્તરાયણના દિવસે મોટો હોય છે એટલે માનવીની કાર્યક્ષમતા વધે છે. માનવ પ્રગતિ તરફ આગળ વધે છે. પ્રકાશ વધવાને કારણે માનવીની તાકાત વધે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
