પતિ અને બાળકો વગર મહિલાઓ રહે છે વધુ ખુશ, રિસર્ચમાં સામે આવ્યું
ઘણા લોકો માને છે કે લગ્ન પછી મહિલાઓ કૌટુંબિક સુખ મેળવીને વધુ સુખી જીવન ગાળે છે. તેના પતિ અને બાળકો સાથે, તેણી પોતાને સંપૂર્ણ અને સુખી હોવાનું માને છે.
ઘણા લોકો માને છે કે લગ્ન પછી મહિલાઓ કૌટુંબિક સુખ મેળવીને વધુ સુખી જીવન ગાળે છે. તેના પતિ અને બાળકો સાથે, તેણી પોતાને સંપૂર્ણ અને સુખી હોવાનું માને છે. પરંતુ આ વિચારની વિરુદ્ધમાં, એક તાજેતરના સંશોધનોમાં જણાવાયું છે કે પતિ અને બાળકો વગર મહિલાઓ ખુશાલ જીવન ગાળે છે. જી હા, સંશોધનમાં આવ્યું છે કે અપરણીત મહિલાઓ વધુ ખુશ રહે છે. આ સંશોધનમાં મહિલાઓના ખુશ રહેવાના ઘણા કારણો સામે આવ્યા છે.
અમેરિકન ટાઇમ યુઝ સર્વે
અમેરિકન ટાઇમ યુઝ સર્વે દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં પરણિત, અપરિણિત, વિધવા અને છૂટાછેડા લીધેલા લોકોના સુખ અને દુઃખના સ્તરોની સરખામણી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, સર્વેક્ષણમાં જણાવાયું છે કે જ્યારે પરણિત લોકોને તેમના સાથીની હાજરીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે જ સુખીની સૂચના મળી હતી. રસપ્રદ બાબત એ છે કે અપરણિત લોકોનું પરણિત લોકો કરતા દુઃખ ઓછું છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં વ્યવહાર વિજ્ઞાનના પ્રોફેસર અને 'હેપ્પી એવર આફ્ટર' પુસ્તકના લેખક પૌલ ડોલનએ જણાવ્યું હતું કે લગ્નથી પુરુષોને ફાયદો થાય છે અને મહિલાઓ લગ્ન પહેલાં વધુ ખુશ રહે છે. ડોલન કહે છે કે આ અભ્યાસમાં લગ્ન પછી પુરુષો 'શાંત' થાય છે, ઓછું જોખમ લે છે, ઊંચી આવક મેળવે છે અને લાંબા સમય સુધી જીવે છે.
લગ્ન તેમના સ્વાસ્થ્ય પર દબાણ મૂકે છે
મહિલાઓના કિસ્સામાં, લગ્ન તેમના સ્વાસ્થ્ય પર દબાણ મૂકે છે અને જો તેઓ લગ્ન ન કરે તો તે તંદુરસ્ત અને સુખી છે. માર્કેટિંગ ઇન્ટેલિજન્સ કંપની મિન્ટેલ દ્વારા કરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં, એકલ મહિલાઓની મુલાકાત લેવામાં આવી હતી અને તારણ કાઢ્યું હતું કે આમાંથી 61% સ્ત્રીઓ ખુશ હતી. ફક્ત એટલું જ નહીં, 75 ટકા મહિલાઓ પાર્ટનરની શોધ પણ નથી કરતી.
સમય બદલાઈ રહ્યો છે
આ અભ્યાસોના તારણો દર્શાવે છે કે સમય બદલાઈ રહ્યો છે અને લગ્ન અને બાળકો ફક્ત બે પરિબળો નથી જે એક મહિલાને ખુશ કરી શકે છે. તે એક મહિલાનો અધિકાર છે કે તેને કઈ ઉંમરમાં લગ્ન કરવું છે અથવા કરવું જ નથી.