World Earth Day 2023: આજે મનાવાઈ રહ્યો છે વિશ્વ પૃથ્વી દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
World Earth Day 2023: પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. જ્યાં દરેક જગ્યાએ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, તે દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે.
દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ છે - આપણા ગ્રહમાં રોકાણ કરો એટલે કે ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ. આવો જાણીએ પૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

પૃથ્વી દિવસનો ઈતિહાસ
પૃથ્વી દિવસની શરૂઆત વર્ષ 1970માં થઈ હતી. તેની કલ્પના સૌપ્રથમ સેનેટર ગેલોર્ડ નેલ્સન દ્વારા કરવામાં આવી હતી, જે એક અમેરિકન રાજકારણી અને પર્યાવરણીય કાર્યકર્તા હતા. ત્યારથી અત્યાર સુધી પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કેમ મનાવાય છે અર્થ ડે
દુનિયાભરમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવા માટે સૌથી પહેલું કારણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે. પૃથ્વીના રક્ષણમાં ઘણી સમસ્યાઓ આવે છે. આ કાર્ય જેટલું સરળ લાગે છે, તેના કરતા વધુ મુશ્કેલ છે. માટે આ દિવસ તેના વિશે દરેકને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. વિકાસની આ આંધળી દોડમાં પૃથ્વી સુરક્ષિત રહેવી જોઈએ અને તેને વધુ નુકસાન ન પહોંચવું જોઈએ, તેથી તમામ લોકો જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે.
પૃથ્વી સામે છે આ પડકારો
આજના સમયમાં પૃથ્વીની સુરક્ષા સામે એકથી વધુ પડકારો છે. આવી સ્થિતિમાં વિશ્વભરના લોકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. પૃથ્વીને હરિયાળી, હવા અને પાણીથી ભરેલી બનાવી શકાય તે જરૂરી છે. પૃથ્વી ત્યારે જ હરિયાળી રાખી શકાય જ્યારે લોકો તેનું મહત્વ સમજે. ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરો અને ક્લાઈમેટ ચેન્જની ખરાબ અસરોથી પૃથ્વીને બચાવવા માટે લોકોને પૃથ્વીના મહત્વ વિશે જાગૃત કરવું ખૂબ જ જરૂરી છે.
સ્વયંને આપો એક વચન
જો પર્યાવરણ સુરક્ષિત છે તો સ્વાભાવિક છે કે આપણે પણ સુરક્ષિત છીએ. આયુર્વેદને એક મહાન શક્તિ માનવામાં આવે છે. જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો આપણે તેમાં વનસ્પતિ ઉગાડી શકીશું. તેનાથી પર્યાવરણ તો મજબુત થશે જ પરંતુ આપણને અને આપણી આવનારી પેઢીઓને આરોગ્યની સાથે રોજગારી પણ મળશે.
આયુર્વેદને મજબૂત કરવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. આ સ્વચ્છ હવાની સાથે સંતુલિત વાતાવરણનું નિર્માણ કરશે. આ એવી વસ્તુ છે જે દરેક જણ કરી શકે છે. તેથી આ પૃથ્વી દિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનું સરળ વચન આપો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી









Click it and Unblock the Notifications
