શરીરમાં પ્લેટલેટ્સની ખામી થશે દૂર, આજથી જ શરૂ કરો આ ડાયટ
Health Tips : ડેગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે, માદા એડીસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી ફેલાય છે. આ બિમારીમાં દર્દીના શરીરમાં પ્લેટલેટ્સની ખામી સર્જાય છે. આવામાં ગંભીર સમસ્યાઓનો કરવો પડી શકે છે.
ઘણીવાર શરીરમાં પોષક તત્વોની ખામીને કારણે રેડ બ્લડ સેલ્સની ખામી સર્જાવા લાગે છે. આવા સમયે પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા માટે પોતાની ડાયટમાં અમુક ખોરાકનું સમાવેશ કરવા જોઇએ જે તમારા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સમાં વધારો કરશે.

વિટામિન બી12 - શરીરમાં લાલ રક્તકણો વધારવા માટે વિટામિન બી12 ખૂબ જ જરૂરી છે. શરીરમાં આ પોષક તત્વોની ઉણપને કારણે પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે. આને પરિપૂર્ણ કરવા માટે, તમે તમારા આહારમાં સોયા મિલ્કનું સેવન વધારી શકો છો. આ સિવાય માછલી, ઈંડા, સેલ્મોન, બદામનું દૂધ નિયમિતપણે આહારમાં સામેલ કરવું જોઈએ.
વિટામિન સી - વિટામિન સી સ્વસ્થ રક્તકણોના નિર્માણમાં ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. શરીરમાં આ વિટામીનની ઉણપને પૂરી કરવા માટે ખાટાં ફળોને ચોક્કસપણે આહારનો ભાગ બનાવો. આ સિવાય બ્રોકોલી, આમળા, સ્ટ્રોબેરી, કેપ્સિકમ વગેરેને પણ દૈનિક આહારમાં સામેલ કરો.
આયર્ન - આયર્ન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરીરમાં બ્લડ સેલ્સ વધારવા માટે આયર્ન યુક્ત ખોરાક ચોક્કસ ખાઓ. આવી સ્થિતિમાં આહારમાં આખા અનાજ, દાડમ, પાલક, સફરજન વધુને વધુ માત્રામાં ખાઓ.
ફોલેટ - ફોલેટ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય ત્વચા, વાળ અને આંખો માટે પણ તે ખૂબ જ જરૂરી છે. શરીરમાં આ પોષક તત્વોની માત્રા વધારવા માટે કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, એવોકાડો, સોયાબીનનો ખોરાકમાં ચોક્કસપણે સમાવેશ કરો.
વિટામિન કે - શરીરમાં લાલ રક્તકણો વધારવા માટે વિટામિન કે એક આવશ્યક તત્વ છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા આહારમાં ડેરી પ્રોડક્ટ્સ, લીલા શાકભાજી, સફરજન, બીટરૂટ વગેરેનું સેવન વધારી શકો છો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
