For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુતા પહેલા કરો આ પીણાનું સેવન, પાચન અને ઉંઘની સમસ્યા થશે દુર

આપણા રસોડામાં ઓસડિયાનો ભંડાર પણ માનવામાં આવે છે. આ ઓસડિયાના ઘણા ફાયદા આપણને મળે છે. ઉંઘની સમસ્યાથી લઇને પાચનને લગતી સમસ્યાઓને દુર કરવા માટે લીંબુ આદુની ચા ખાસ લાભ આપે છે.

|
Google Oneindia Gujarati News

આપણા રસોડામાં ઓસડિયાનો ભંડાર પણ માનવામાં આવે છે. આ ઓસડિયાના ઘણા ફાયદા આપણને મળે છે. ઉંઘની સમસ્યાથી લઇને પાચનને લગતી સમસ્યાઓને દુર કરવા માટે લીંબુ આદુની ચા ખાસ લાભ આપે છે. એક સંશોધનમાં એવું સામે આવ્યું છે કે, લીંબુ આદુની ચાને એક હર્બલ ટોનિક છે, આ હર્બલ ટોનિક છે, જે સારી ઉંઘ અને પાચન કરવાની સાથે સાથે ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે.

સૂતા પહેલા કરો લીંબુ-આદુની ચાનું સેવન

સૂતા પહેલા કરો લીંબુ-આદુની ચાનું સેવન

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, લીંબુ-આદુમાં રહેલા ઔષધીય ગુણો શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોય શકે છે. જ્યારે આદુનો લાંબા સમયથી વૈકલ્પિક અને લોક દવામાં ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે લીંબુમાં હાજર વિટામિન સીની માત્રા શરીરને ઘણા ફાયદાઓ પ્રદાન કરી શકે છે.

ખાસ કરીને સૂતા પહેલા આ ડ્રિંકનું સેવન કરવાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવામાં મદદ મળે છે. ચાલો જાણીએ કે સૂતા પહેલા લીંબુ-આદુની ચાનું સેવન તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે?

સારી ઊંઘમાં કર છે મદદ

સારી ઊંઘમાં કર છે મદદ

યુવાવસ્થામાં ઊંઘની સમસ્યા ખૂબ જ વધતી જોવા મળે છે, સૂતા પહેલા લીંબુ-આદુની ચાનું સેવન તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ પીણું શરીરને આરામદાયક બનાવવાની સાથે માઇન્ડફુલનેસ માટે મદદરૂપ થઈ શકે છે.

એક સમીક્ષા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માઇન્ડફુલનેસ તમને નકારાત્મક લાગણીઓ પર પ્રક્રિયા કરવામાં અને તમારા મનને શાંત કરવામાં મદદ કરી શકે છે, જે તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરી શકે છે.

પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક

પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક

જો તમને પણ વારંવાર પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો લીંબુ-આદુની ચા તમારા માટે મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યાને ઓછી કરવામાં તેના ફાયદા જોવા મળ્યા છે.

ડિહાઇડ્રેશન અને ફાઇબરની અછત સહિત અનેક કારણોસર કબજિયાત થઈ શકે છે. આ અભ્યાસો અનુસાર, એક કપ ગરમ લીંબુ-આદુની ચા તમારી પાચન તંત્રને સારી રાખવામાં મદદ કરી શકે છે.

જો તમને લાંબા સમય સુધી કબજિયાત રહેતી હોય, તો ખાતરી કરો કે, તમે દિવસભર પૂરતું પાણી પીઓ. તે અપચો અથવા પેટના ભારેપણુંને દૂર કરવા માટે એક મહાન ટોનિક પણ હોય શકે છે.

બળતરાની સમસ્યાને ઓછી કરે છે

બળતરાની સમસ્યાને ઓછી કરે છે

અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે, લીંબુ-આદુની ચાનું સેવન બળતરાની સમસ્યાવાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. આદુમાં જોવા મળતું Gingerol નામનું એક સંયોજન બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તે તમારા ક્રોનિક સોજા, મેટાબોલિક સિન્ડ્રોમ, કેન્સર, અલ્ઝાઈમર રોગ અને હૃદયના રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આવી સમસ્યાઓમાં લીંબુ-આદુની ચા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બંધ નાકની સમસ્યામાં થાય છે ફાયદો

બંધ નાકની સમસ્યામાં થાય છે ફાયદો

નાક બંધ થવાની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ-આદુની ચા તમારા માટે મદદરૂપ થઈ શકે છે. મોસમી એલર્જીના કિસ્સામાં નાક બંધ થવું એ ખુબ જ સ્વાભાવિક વાત છે, તેથી સૂતા પહેલા એક કપ આ પીણાનું સેવન કરવાથી નાક બંધ થવાની સમસ્યામાં રાહત મળે છે.

રિસર્ચ દર્શાવે છે કે, શરદી-ફ્લૂની સિઝન દરમિયાન કે તે દરમિયાન લીંબુ-આદુની ચા પીવાથી વિશેષ લાભ થાય છે. લીંબુ-આદુમાં રહેલા ગુણ તમારા માટે એલર્જીના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

English summary
Drink this drink before going to bed, digestion and sleep problems will go away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X