આયુર્વેદિક રીતે માણો મૉનસૂનની મજા
ભારતમાં મોનસૂન અર્થાત વરસાદની સિઝન ઉત્સવની માફક હોય છે. ગરમીની સિઝન બાદ લોકો ભગવાન પાસે વરસાદની યાચના કરે છે. જ્યારે વરસાદ આવે છે તો લોકો વરસાદમાં નાચતાં જોઇ શકાય છે. તથા અનેક રીતે વરસાદનો આનંદ માણતાં જોઇ શકાય છે. પરંતુ ઘણી બિમારીઓ, સંક્રમણો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યઓની પણ સિઝન છે. હવામાનમાં અચાનક થયેલા ફેરફારના કારણે આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે જેના લીધે આપણને ઘણી બિમારીઓથી ગ્રસિત થઇ શકીએ છીએ.
આર્યુવેદ અનુસાર વરસાદની સિઝનમાં પિત્ત ખૂબ જ વધી જાય છે જે અગ્નિ તત્વ હોય છે તથા આપણા શરીરને કાર્યાત્મક ઉર્જા પ્રદાન કરે છે તથા આ ચયાપચય અને ભોજનના પાચન માટે જવાબદાર હોય છે. આ દરમિયાન પાચન પ્રક્રિયા નબળી હોય છે. આ સિઝનમાં પિત્તના કારણે થનારી સામાન્ય બિમારીઓ હાઇપરએસિડિટી, અપચન, તત્વા સંબંધિત બિમારીઓ (ફોડકી, એક્ઝિમા અને રૈશેસ), વાળનું ખરવું અને સંક્રમણ છે.
આ તે સમય હોય છે જ્યારે વાતારવણમાં આદ્રતાનું સ્તર ખૂબ જ વધુ હોય છે જેના લીધે શરીરમાં ઓજસ નામક મહત્વપૂર્ણ તરલ પદાર્થની ઉણપ થઇ જાય છે. હવામાં ઓક્સિજનના ઘટાડાના કારણે મોટાભાગે લોકોને શ્વાસ લેવામાં તકલીફ તથા નબળાઇની ફરિયાદ કરે છે.
એટલા માટે જો તમે ચોમાસાની સિઝનનો આનંદ ઉઠાવવા માંગો છો તો આ ઉપાયોને અપનાવો તથા સ્વસ્થ રહો.

તેલ-મસાલાથી દૂર રહો
ખૂબ જ ભારે, અમ્લીય, ગરમ, ખાટું (ચટણી, અથાણું, મરચાં, દહીં, કડી વગેરે) તથા ખારા પદાર્થો ન ખાવ કારણ કે તેના લીધે જળ સંગ્રહણ, અપચન, એસીડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ આવી શકે છે. તળેલા પદાર્થ, જંક ફૂડ અને માંસ ખાશો નહી. સલાડ અને લીલી શાકભાજીઓ ન ખાવ.

બાફેલા શાકભાજી ખાવ
સામાન્ય અને સરળતાથી પચી જનાર ખાદ્ય પદાર્થ, શેકેલી તથા સ્ટીમ્ડ શાકભાજીઓ, સ્ક્વૉશ, કોળુ, સ્ટીમ્ડ સલાડ, ફળ, મગદાળ, ખિચડી, કોર્ન (મકાઇ), કાબુલી ચણાનો લોટ અને ઓટમીલ વગેરે ખાવ.

ભારે તેલનો ઉપયોગ ના કરો
જમવાનું બનાવવા માટે ઘી, ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ અને સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરો કારણ કે આ હલકા હોય છે. ભારે તેલ જેમ કે સરસિયાનું તેલ, માખણ, મગફળીનું તેલ અને અન્ય ભારે તેલ ખાશો નહી.

સામાન્ય કસરત કરો
ખૂબ જ ભારે કસરત જેમ કે દોડવું, સાઇક્લિંગ વગેરે ન કરો કારણ કે તેના લીધે પિત્ત (ઉષ્ણતા) વધે છે. યોગ, વોકિંગ, સ્વિમિંગ અને સ્ટ્રેચિંગ વગેરે કસરત સારી હોય છે.

બહાર જમતી વખતે સાવધાન રહો
સુનિશ્વિત કરો કે તમે જે સ્થળ પર જમવા જાવ છો તે સાફ સુથરી હોય. રસ્તાના કિનારે વેચાનારા ખાદ્ય પદાર્થોને ખાશો નહી.

ફળ અને શાકભાજીઓને સારી રીતે ધોવો
લીલી શાકભાજીઓ અને ફળોને ખાતા પહેલાં સારી રીતે ધોવો.

કડવી ચીજોનું સેવન કરો
કડવો સ્વાદ પિત્તને નિષ્પ્રભાવિત કરી દે છે. અત: કડવી શાકભાજી જેમ કે કારેલા, કડવી બૂટીઓ જેમ કે લીમડો, મેથી અને હળદરને વધુ માત્રા ખાવ કારણ કે તમને સંક્રમથી બચાવે છે.

તલના તેલની માલિશ
વર્ષા ઋતુંમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તલના તેલની માલિશ તમને સ્વસ્થ રાખે છે. કેટલાક લોકો તલના તેલને ગરમ કરી શકે છે અત: તે લોકો નારિયેળના તેલનો ઉપયોગ પણ કરી શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
