વરંવાર પેટમાં થઇ જાય છે ગેસ, આ 5 વસ્તુઓથી મળશે તાત્કાલિક રાહત
એવું કહેવાય છે કે, તમારું પાચનતંત્ર જેટલું મજબૂત હશે, તેટલા જ તમે સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે કબજિયાત અથવા પેટમાં ગેસ થઇ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તે ખરાબ પાચનની નિશાની હોય શકે છે.
એવું કહેવાય છે કે, તમારું પાચનતંત્ર જેટલું મજબૂત હશે, તેટલા જ તમે સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે કબજિયાત અથવા પેટમાં ગેસ થઇ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તે ખરાબ પાચનની નિશાની હોય શકે છે. પાચનની તંદુરસ્તી જાળવી રાખવી એ એક મુશ્કેલ કાર્ય છે. ઘણી વસ્તુઓ છે, જે પાચનક્રિયાને સીધી અસર કરે છે, જેમ કે આચરકુચર આહાર, નબળી જીવનશૈલી, ઊંઘ ન આવવી વગેરે.

આ ખોરાકથી દૂર થશે ગેસની સમસ્યા
સારા સ્વાસ્થ્ય માટે સારું પાચન સૌથી જરૂરી છે. પાચનની સમસ્યાને કારણે લોકોને અપચો, કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સારી પાચન માટે,તમારે આહારને સંતુલિત કરવો પડશે. આ સમાચારમાં અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે પાચનક્રિયાને સુધારી શકે છે. તમારેનાસ્તામાં આ ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ.

પપૈયા
પપૈયા એ સ્વસ્થ આંતરડા માટે દિવસની શરૂઆત કરવા માટે યોગ્ય ખોરાક છે. નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન પાચનક્રિયાને પ્રોત્સાહન મળેછે, કારણ કે તેમાં પપૈન નામનું પાચન એન્ઝાઇમ હોય છે.

સફરજન
સફરજન પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન A, C થી ભરપૂર છે અને તેમાં ઘણા ખનિજો અને પોટેશિયમ પણ છે. ફાઈબરથી ભરપૂર હોવાથીતે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

કાકડી
કાકડીમાં ઇરેપ્સિન નામનું એન્ઝાઇમ હોય છે, જે યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સાદા ખોરાકની ચમત્કારિક અસરો અનેક ગણી છે, જેમ કે પેટની એસિડિટી, ગેસ્ટ્રાઇટિસઅને પેપ્ટિક અલ્સરથી રાહત મળે છે.

કેળા
જો તમે પાચનતંત્રને સ્વસ્થ બનાવવું હોય તો નિયમિત કેળાનું સેવન કરો. હાઇ ફાઇબર કંન્ટેન્ટને લીધે, તે આંતરડાની ગતિ માટે પણ મહત્વપૂર્ણ છે.

મધ અને લીંબુ
ગરમ પાણી સાથે મધ અને લીંબુનું સેવન કરવાથી પાચન અને રોગપ્રતિકારક શક્તિ બંનેમાં સુધારો થાય છે. તેને સવારે ખાલી પેટે ખાવાથી તમારું મેટાબોલિઝમ વધેછે, તેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પેટનો ગેસ ઘટાડવા માટેનો ખોરાક
ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ફંક્શનલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર્સ અનુસાર ઈંડા, લીન મીટ, માછલી, ઝુચીની અને લેટીસ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી, ચોખા,ટામેટાં, દ્રાક્ષ, તરબૂચ, બેરી, એવોકાડો, ઓલિવ્સ જેવો ખોરાક ગેસ ઘટાડે છે.

ગેસ ઘટાડવા માટેની ટિપ્સ
- ફાઇબરયુક્ત ખોરાકનું સેવન મર્યાદિત કરો.
- ખોરાકને ધીમે ધીમે ચાવવાનું રાખો.
- કાર્બોનેટેડ પીણાં અને સોડાથી દૂર રહો.
- ચ્યુઇંગ ગમ ખાવાનું ટાળો.
- કઠોળ અને દાળ ને રાંધતા પહેલા પાણીમાં પલાળી દો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
