Health News : બ્લેન્ડર ઇન્ફેક્શનથી મળશે રાહત, અપનાવો આ રીત
Health News : જો તમને મુત્ર વિસર્જન કરતા સમયે બળતરા થાય છે, વારંવાર પેશાબ કરવા જવું પડે છે, પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ રહે છે, તો આ બ્લેન્ડ ઇન્ફેક્શનના લક્ષણો છે. જેમાં મુત્ર માર્ગમાં સંક્રમણ કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે.
બ્લેન્ડ ઇન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરી શકે છે, પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે, તો તેના પરિણામો ક્યારેક ગંભીર હોય શકે છે. જોકે, આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘણા અસરકારક ઉપાયો છે, જેને ઘરે અજમાવી શકાય છે.

હાઇડ્રેટેડ રહો - મૂત્રાશયના સંક્રમણનો સામનો કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે, પુષ્કળ પાણી પીવું. હાઇડ્રેટેડ રહેવાથી પેશાબની નળીઓમાંથી બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ મળે છે, જેનાથી બળતરા ઓછી થાય છે. આ ઉપરાંત આલ્કોહોલ અને કેફીન જેવા પીણાંનું સેવન કરવાનું ટાળો, જે મૂત્રાશયને બળતરા કરી શકે.
ક્રેનબેરીનો રસ પીવો - ક્રેનબેરીમાં પ્રોએન્થોસાયનિડિન્સ (PACs) જેવા વિશેષ સંયોજનો હોય છે, જે બેક્ટેરિયાને પેશાબની નળીઓની દિવાલો પર ચોંટતા અટકાવે છે, જેનાથી UTIsનું જોખમ ઓછું થાય છે.
ગરમી ઉપચાર - પેટના નીચેના ભાગમાં માલિશ કરવાથી મૂત્રાશયના સંક્રમણને કારણે થતી પીડા અને અસ્વસ્થતાને ઘટાડવામાં મદદ મળી શકે છે. તમે ટુવાલ અથવા હીટિંગ પેડમાં લપેટી ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરી શકો છો. ફક્ત ધ્યાન રાખો કે, તે ખૂબ ગરમ ન હોય કારણ કે, તેનાથી સ્કિન બર્ન થવાનું જોખમ થઇ શકે છે.
પ્રોબાયોટીક્સ - પ્રોબાયોટિક્સ, જે સામાન્ય રીતે દહીં અને આથો ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે, તે આંતરડા અને પેશાબની નળીઓમાં બેક્ટેરિયાના સ્વસ્થ સંતુલનને પ્રોત્સાહન આપી શકે છે. આ હાનિકારક બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે, જે સંક્રમણનું કારણ બની શકે છે.
વિટામિન સી - વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પેશાબને વધુ એસિડિક બનાવવા માટે જાણીતું છે, જે બેક્ટેરિયાના વિકાસ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવે છે. આ સિવાય વિટામિન સીમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે સંક્રમણ સામે લડવામાં ફાયદાકારક છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
