Health Tips : આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક ઉકાળા, મળશે શરદી-ઉધરસમાં રાહત
સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.
Health Tips : શિળાયામાં ઠંડીના કારણે શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે. ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધુ રહે છે. જો શિયાળામાં બિમારીઓથી બચવું હોય તો તમારે પોતાની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે.

સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.

આદુનો ઉકાળો (ayurvedic ukado)
આદુમાં વોર્મિંગ અસર હોય છે, તેથી શિયાળામાં આદુનો ઉકાળો પીવો ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે આદુમાં રહેલા ઔષધીય ગુણ શરદીઅને ઉધરસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે રોગો સામેલડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો આદુનો ઉકાળો (ayurvedic ukado)
- આદુનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે તેમાં આદુ, કાળા મરી, હળદર, અજમો અને તુલશીના પાન નાખીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો
- જ્યારે તે ઉકળી જાય તે બાદ ગેસ બંધ કરી દો
- હવે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો
- આ ઉકાળો પીવાથી તમને શરદી અને ઉધરસમાં તરત રાહત મળવા લાગશે

કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
લવિંગ અને કાળા મરીનો ઉકાળો કફમાં ખૂબ જ ફાયદાકારક છે. તેની અસર ગરમ છે અને શરદી જેવા રોગો મટાડે છે.

કેવી રીતે બનાવશો કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
- કાળા મરી અને લવિંગનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે આ પાણીમાં કાળા મરી, એલચી, ચાના પાંદડા, આદુ, ગોળ અને તુલસીના પાન ઉમેરો
- આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકાળો
- કાળા મરી અને લવિંગનો ઉકાળો પીવાથી તમને શરદી અને ગળાના દુઃખાવાથી તરત રાહત મળશે.

અજમાનો ઉકાળો (ayurvedic ukado)
અજમામાં હાજર પોષક તત્વો શરદી અને ઉધરસના ઈલાજ તરીકે કામ કરે છે. આ પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીનેશરીરને રોગોથી બચાવે છે. આ ઉકાળો પીવાથી પેટના દુઃખાવાની સમસ્યા પણ દુર થાય છે.

કેવી રીતે બનાવશો અજમાનો ઉકાળો (ayurvedic ukado)
- સૌપ્રથમ પાણી ગરમ કરો.
- થોડી વાર પછી તેમાં ગોળ ઉમેરીને ઉકાળો.
- આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય એ પછી તેને ગાળીને પી લો.
- અજમાનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
