Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health Tips : આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક ઉકાળા, મળશે શરદી-ઉધરસમાં રાહત

સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.

Health Tips : શિળાયામાં ઠંડીના કારણે શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે. ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધુ રહે છે. જો શિયાળામાં બિમારીઓથી બચવું હોય તો તમારે પોતાની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે.

ayurvedic remedies

સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.

આદુનો ઉકાળો (ayurvedic ukado)

આદુનો ઉકાળો (ayurvedic ukado)

આદુમાં વોર્મિંગ અસર હોય છે, તેથી શિયાળામાં આદુનો ઉકાળો પીવો ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે આદુમાં રહેલા ઔષધીય ગુણ શરદીઅને ઉધરસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે રોગો સામેલડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો આદુનો ઉકાળો (ayurvedic ukado)

કેવી રીતે બનાવશો આદુનો ઉકાળો (ayurvedic ukado)

  • આદુનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
  • હવે તેમાં આદુ, કાળા મરી, હળદર, અજમો અને તુલશીના પાન નાખીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો
  • જ્યારે તે ઉકળી જાય તે બાદ ગેસ બંધ કરી દો
  • હવે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો
  • આ ઉકાળો પીવાથી તમને શરદી અને ઉધરસમાં તરત રાહત મળવા લાગશે
કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)

કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)

લવિંગ અને કાળા મરીનો ઉકાળો કફમાં ખૂબ જ ફાયદાકારક છે. તેની અસર ગરમ છે અને શરદી જેવા રોગો મટાડે છે.

કેવી રીતે બનાવશો કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)

કેવી રીતે બનાવશો કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)

  • કાળા મરી અને લવિંગનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
  • હવે આ પાણીમાં કાળા મરી, એલચી, ચાના પાંદડા, આદુ, ગોળ અને તુલસીના પાન ઉમેરો
  • આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકાળો
  • કાળા મરી અને લવિંગનો ઉકાળો પીવાથી તમને શરદી અને ગળાના દુઃખાવાથી તરત રાહત મળશે.
અજમાનો ઉકાળો (ayurvedic ukado)

અજમાનો ઉકાળો (ayurvedic ukado)

અજમામાં હાજર પોષક તત્વો શરદી અને ઉધરસના ઈલાજ તરીકે કામ કરે છે. આ પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીનેશરીરને રોગોથી બચાવે છે. આ ઉકાળો પીવાથી પેટના દુઃખાવાની સમસ્યા પણ દુર થાય છે.

કેવી રીતે બનાવશો અજમાનો ઉકાળો (ayurvedic ukado)

કેવી રીતે બનાવશો અજમાનો ઉકાળો (ayurvedic ukado)

  • સૌપ્રથમ પાણી ગરમ કરો.
  • થોડી વાર પછી તેમાં ગોળ ઉમેરીને ઉકાળો.
  • આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય એ પછી તેને ગાળીને પી લો.
  • અજમાનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X