Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health Tips : શરીર માટે ખાસ જરૂરી છે આ પાંચ વિટામિન્સ, આ રીતે દૂર થશે ખામી

Health Tips : વર્તમાન સમયમાં લોકો ફિટનેસ પ્રત્યે ઘણા સજાગ બની રહ્યા છે. જે માટે તેઓ જીમ, યોગા અને ઘરે કસરત કરે છે. આવામાં સારા સ્વાસ્થ્ય માટે પુરતા પોષણનું પણ એટલું જ મહત્વ રહેલું છે.

આવામાં શરીરમાં વિટામીન્સ કે અન્ય પોષકતત્વોની ખામીને કારણે ઘણી બિમારીઓ થાય છે. શરીરમાં પોષણની ઉણપ ખતરનાક નથી, પરંતુ જો આ ખામીઓને સમયસર ઓળખીને સુધારવામાં ન આવે તો આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

Health Tips

આવા સમયે નિયમિત હેલ્થ ચેકઅપ દ્વારા તે સરળતાથી શોધી શકાય છે કે, શરીરમાં કયા પોષક તત્વોની ઉણપ છે. આ અહેવાલમાં આપણે એવા જ પોષક તત્વો વિશે જાણીશું, જેની ઉણપ વારંવાર જોવા મળે છે, તેમજ તેને દૂર કરવા શું કરવું જોઈએ.

વિટામિન ડી - વિટામિન ડી ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જે શરીરમાં સ્ટેરોઇડ હોર્મોનની જેમ કાર્ય કરે છે.

ઉણપને કેવી રીતે દૂર કરવી - વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, સૂર્યપ્રકાશ લો અને વિટામિન ડીથી સમૃદ્ધ ખોરાક જેમ કે, મશરૂમ,

સેલ્મોન અને ઇંડા જરદીનો આહારમાં સમાવેશ કરો. હેલ્થ એક્સપર્ટની સલાહ પર સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે.

વિટામિન B12 - વિટામિન B12 ની ઉણપ ખૂબ સામાન્ય છે. આ ખાસ કરીને શાકાહારી અને વેગન લોકોમાં જોવા મળે છે. આ સિવાય મોટી વયના લોકોમાં પણ તેની ઉણપ જોવા મળે છે.

વિટામિન B12ની ઉણપને કેવી રીતે દૂર કરવી - B12 ની ઉણપને દૂર કરવા માટે, આહારમાં દૂધ, ક્લોરેલા, દહીં અને તાજા ચીઝથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ ઉપરાંત B12 ની ઉણપ માત્ર આહાર દ્વારા પૂરી કરી શકાતી નથી. તેથી ડૉક્ટરની સલાહ પર તમે B12 સપ્લિમેન્ટ લેવાનું પણ વિચારી શકો છો.

આયોડિન - આયોડિન એ સૌથી સામાન્ય પોષક ખામીઓમાંની એક છે, જે થાઇરોઇડ ગ્રંથિને વિસ્તૃત કરી શકે છે.

આયોડિનની ઉણપને કેવી રીતે દૂર કરવી - રાંધતી વખતે આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ કરો. આ ઉપરાંત આયોડીનના કેટલાક કુદરતી સ્ત્રોતો છે. જેમ કે, દહીં, ડેરી ઉત્પાદનો અને પ્રુન્સ. આને પણ ડાયટમાં સામેલ કરો.

વિટામિન એ - વિટામીન એ ની ઉણપ વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને દ્રષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિ આનાથી ખૂબ પ્રભાવિત થઈ શકે છે.

વિટામિન એની ઉણપને કેવી રીતે દૂર કરવી - બાજરી, લીલા ચણાની દાળ, આમળાના પાન, શક્કરિયા, પપૈયા, કેરી અને તલને વિટામિન Aથી ભરપૂર આહારમાં સામેલ કરો. વિટામિન એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જેનો અર્થ છે કે, તેને શોષવા માટે આહાર ચરબીની જરૂર છે. આ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તંદુરસ્ત ચરબીને સંતુલિત માત્રામાં આહારમાં શામેલ કરવી જોઈએ.

આયર્ન - આ એક સામાન્ય પોષણની ઉણપ છે, જે એનિમિયા અને થાક તરફ દોરી શકે છે.

આયર્નની ઉણપને કેવી રીતે દૂર કરવી - આયર્નથી ભરપૂર ખાદ્યપદાર્થો જેમ કે, આમળાં, રાગી, કિસમિસ, દાળ, તલ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો આહારમાં સમાવેશ કરો. આયર્ન સમૃદ્ધ ખોરાકની સાથે, તમારા આહારમાં વિટામિન સી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ સિવાય લોખંડના વાસણમાં ભોજન બનાવવાનો પ્રયાસ કરો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X