Health Tips : પગમાં સોજા અને દુઃખાવાથી છો પરેશાન, આ તેલની માલિશથી મળશે રાહત
Health Tips : પગામાં જ્યારે પણ માર વાગે, મચકોડાઇ જવાને કારણે નસ ખેંચાઇ જાય છે. ઘણીવાર આ કારણે પગમાં સોજા આવી ગયો હતો. આ સોજોને કારણે ચાલવામાં તકલીફ પડે છે.
ઘણીવાર ગરમ પટ્ટી બાંધીને આમાંથી આરામ મેળવવાની કોશિશ કરે છે. તો ઘણા લોકો પેઇન રિલિફ ટ્યુબનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી તેમને આંશિક રાહત મળે છે.

પગના સોજા માટે લગાવો સરસવનું તેલ - પગના સોજાને દવા લેવાથી ઠીક કરી શકાય છે, પરંતુ જો તમને દવાની એલર્જી હોય તો તમે ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. આવી સમસ્યાઓ માટે સરસવના તેલની માલિશને અસરકારક ઉપાય તરીકે વર્ણવવામાં આવ્યો છે.
સરસવનું તેલ અને હળદર - સરસવના તેલમાં હળદર મિક્સ કરો અને પછી સોજાવાળા ભાગો પર માલિશ કરો. હળદરમાં એન્ટિમાઈક્રોબાયલ અને એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી તે દર્દ પર સારી અસર કરે છે.
સરસવનું તેલ અને લવિંગ - પગના સોજાને દૂર કરવા માટે સરસવના તેલમાં લવિંગની થોડી કળીઓ નાખીને ધીમી આંચ પર ગરમ કરો. હવે આ તેલની મદદથી અસરગ્રસ્ત જગ્યા પર માલિશ કરો. આનાથી તમારો સોજો દૂર થશે, આ સાથે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.
સરસવનું તેલ અને આદુ - જો તમે એક વાસણમાં સરસવનું તેલ અને આદુ ગરમ કરો અને પછી સોજાવાળા ભાગો પર માલિશ કરો. તેનાથી સમસ્યાઓથી છુટકારો મળશે. આ સાથે જો તમે ઈચ્છો, તો મસાજની સાથે કાચું આદુ પણ ખાઈ શકો છો.












Click it and Unblock the Notifications
