જાણે, કેવી રીતે સારી ઊંધ તમારું વજન ધટાડશે?
તમે પણ વિચારતા હશોને કે ઊંધવાથી કોઇનું વજન કેવી રીતે ઓછું થઇ શકે? પણ આજે અમે તમને ઊંધવાની કેટલીક તેવી ખાસયતો વિષે જણાવીશું જે વિષે જાણીને તમને પણ ઊંધવાનું મહત્વ સમજાશે અને તમે પણ સ્વીકારશો કે ઊંધવાથી વજન ઓછું થઇ શકે છે.
એક સારી ઊંધ તમારા શરીરને અંદરથી સ્ફૂર્તિ અને તાજગી આપે છે. વધુમાં સારી અને પૂરતી ઊંધ તમારા શરીરના ચાર્જ કરે છે. અને તમારી ભૂખને પણ ઓછી કરે છે.
આવા જ કેટલાક ઊંધના ફાયદા અમે તમને અમારા આ આર્ટીકલમાં જણાવાના છીએ. તો જાણો ઊંધના કેટલાક આવા ફાયદા આ ફોટોસ્લાઇરમાં અને આ દ્વારા તમે પણ એક સારી અને પૂરતી ઊંધ લઇને રહો સ્વસ્થ...
સૌથી પહેલા ફાયદો
જો તમે યોગ્ય સમયે સૂઇ જશો તો તમે રાત્રે ખાવાની ખરાબ આદતથી બચી જશો અને આ રીતે આપમેળે પતળા રહી શકશો.
ચરબી સંચય
જો તમે ઓછી કેલરી વાળો ખોરાક ખાવ છો પણ પૂરતી માત્રામાં ઊંધ નથી લેતા તો તમારા શરીર ચરબી જમા થવા લાગે છે. માટે આ માટે પણ સારી ઊંધ લેવી જરૂરી છે.
રિસર્ચ
સામાન્ય રીતે તમારે ઓછામાં ઓછી 6 કલાક અને વધુમાં વધુ 8 કલાકની ઊંધ લેવી જોઇએ તેવું જાણકારોનું કહેવું છે.
રિસર્ચ
રિસર્ચ બતાવે છે કે જે લોકો પૂરતી ઊંધ અને પ્રતિદિન 45 મિનિટનું વોકિંગ કરે છે તેમનું શરીર સ્વસ્થ અને ફીટ રહે છે. અને તેમને વજન વધવાનો પ્રશ્ન એટલો નથી સતાવતો.
મેટાબોલિક
જ્યારે તમારા મેટોબોલિક સ્વસ્થ રહેશે ત્યારે તમે યોગ્ય રીતે કેલેરીને બર્ન કરી શકશો. જે માટે પણ ઊંધ જરૂરી છે.
નીંદર
તમે જ્યારે એક સારી ઊંધ મેળવો છો ત્યારે તમે તમારા સ્વાસ્થયને લઇને વધુ સભાન હોવ છો તે જ રીતે જ્યારે તમે ઓછી ઊંધ કરો છો ત્યારે તમે થાકેલા હોવ છો અને સ્વાસ્થય પણે તેટલું ધ્યાન નથી આપી શકતા.
ખોરાક
જ્યારે તમારી સૂવાની પેટર્ન સારી હોય છે તમારો ખોરાક પણ સામાન્ય રહે છે. જો કે ઓછી ઊંધના કારણે તમને ઓછી ભૂખ કે વધુ ભૂખ લાગી શકે છે. તો હવેથી ઓછામાં ઓછું 7 કલાક સૂવાનો પ્રયાસ કરો અને સાથે જ એક સારી ઊંધ મેળવવાનો પ્રયાસ કરો.