જાણો વાયગ્રા વિશે નવી માહિતી, અભ્યાસમાં સામે આવ્યા આશ્ચર્યજનક પરિણામો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાયગ્રા લેવાથી માત્ર નપુંસકતાને ફાયદો થાય છે, પરંતુ અલ્ઝાઈમરનું જોખમ પણ ઘટાડી શકાય છે.
વોશિંગ્ટન : અમેરિકાના વૈજ્ઞાનિકોએ વાયગ્રાના ફાયદા વિશે નવી માહિતી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાયગ્રા લેવાથી માત્ર નપુંસકતાને ફાયદો થાય છે, પરંતુ અલ્ઝાઈમરનું જોખમ પણ ઘટાડી શકાય છે. યુએસમાં ક્લેવલેન્ડ ક્લિનિકના સંશોધકોએ છ વર્ષ સુધી 7 મિલિયન અમેરિકનોના તબીબી ડેટાની તપાસ કરી અને ટ્રેક કર્યો હતો.
પરિણામો દર્શાવે છે કે, જે યુવાનોએ વાયગ્રા લીધી હતી, તેમને અલ્ઝાઈમર થવાની શક્યતા 69 ટકા ઓછી હતી, જેઓ ડ્રગનો ઉપયોગ કરતા ન હતા.

તે કેવી રીતે કામ કરે છે?
વૈજ્ઞાનિકોના મતે નપુંસકતા અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતું સિલ્ડેનાફિલ અલ્ઝાઈમર સામે પણ અસરકારક છે.
મુખ્ય સંશોધક ડૉક્ટર ફેઇક્સિયાંગચેંગે જણાવ્યું હતું કે, આ દવા અલ્ઝાઈમરને અટકાવી શકે છે, પરંતુ તે વાસ્તવમાં અલ્ઝાઈમરને ઠીક કરી શકે છે કે નહીં, તે હજૂ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ વિવિધ લેબપ્રોજેક્ટ્સના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે મગજના કોષોની વૃદ્ધિમાં વધારો કરી શકે છે અને મગજમાં હાનિકારક પ્રોટીનનું નિર્માણ અટકાવી શકે છે.

અલ્ઝાઈમર બની રહી છે એક મોટી સમસ્યા
આજના યુગમાં અલ્ઝાઈમર એક મોટી સમસ્યા બની રહી છે. યુકેમાં અડધા મિલિયનથી વધુ લોકો તેનાથી પીડાય છે, આ આંકડો 2040 સુધીમાં 1.6 મિલિયન સુધીપહોંચવાની અપેક્ષા છે.
યુએસમાં 6 મિલિયનથી વધુ લોકોને અલ્ઝાઈમર છે, જ્યાં આગામી 20 વર્ષમાં દર બમણા થવાની ધારણા છે. અત્યારે તેનો કોઈ ઈલાજ નથીપણ અમુક સુધારા માટે દવાઓ છે.

અલ્ઝાઈમરના કારણે
કેટલાક લોકોને અલ્ઝાઈમર કેમ થાય છે, તે હજૂ સ્પષ્ટ નથી, પરંતુ આનુવંશિક પરિબળો, ધૂમ્રપાન અને વધારે વજન મુખ્ય કારણોમાં છે.
અલ્ઝાઈમર રોગના દર્દીઓમાંમગજમાં રક્ત પરિભ્રમણ પણ ઓછું થાય છે, જેના કારણે ચેતા કોષો મૃત્યુ પામે છે.
સિલ્ડેનાફિલ રક્તવાહિનીઓને ફેલાવવા અને જનનાંગોમાં રક્ત પરિભ્રમણનેપ્રોત્સાહન આપવા માટે જાણીતું છે, નિષ્ણાતો માને છે કે, તે મગજમાં રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
