ઠંડીમાં મોજા પહેરીને સુવુ જોઈએ કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો?
કડકડતી ઠંડી આવતા જ લોકો ગરમ કપડા પહેરીને ઘાબળામાં લપેટાઈ જાય છે. ઘણા લોકો સુતી વખતે પણ ગરમ કપડા સાથે મોજા પહેરીને સુવે છે.
ઠંડીથી બચવા આપણે જેકેટ્સ અને મોજાંનો આશરો લઈ રહ્યા છીએ. રાત્રે પોતાને ગરમ અને આરામદાયક રાખવા માટે ઘણા લોકો પથારીમાં મોજાં પહેરીને સુવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે સૂતી વખતે મોજાં પહેરવા જોઈએ કે નહીં?

કેટલાક લોકો માને છે કે આનાથી શરીર વધારે ગરમ થાય છે અને ઊંઘમાં ખલેલ થવાનું જોખમ રહે છે. પરંતુ વાસ્તવમાં મોજા શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
શિયાળામાં પગને રજાઈ અને ધાબળાથી ગમે તેટલા ઢાંકીએ તો પણ પગ ગરમ થતા નથી, તેથી આખા શરીરને ઠંડકનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં મોજા પહેરવાથી શરીરને ગરમી મળે છે.
મોજાં પહેરીને સૂવું એ ડિસ્ટલ વેસોડિલેશનની પ્રક્રિયા માટે ફાયદાકારક છે. આનાથી હાથ અને પગમાં લોહીનો પ્રવાહ વધે છે અને કોર તાપમાનને ઘટાડે છે અને તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.
જો ફાટેલી હીલ્સથી પીડાતા હોવ તો તે ઠંડી શુષ્ક હવાના સતત સંપર્કમાં રહેવાને કારણે થઈ શકે છે જે તમારી ત્વચાને સૂકવી નાખે છે. આને ઠીક કરવા તમારા પગને મોઇશ્ચરાઇઝ કરો અને મોજાં પહેરો.
ડૉક્ટરોનું કહેવું છે કે જે લોકોના પગમાં ઘા હોય અથવા બ્લડ સર્ક્યુલેશન સંબંધિત સમસ્યા હોય તેમણે રાત્રે મોજાં પહેરીને ન સૂવું જોઈએ. ગરમ તાપમાનવાળા વાતાવરણમાં રહેતા લોકોએ પણ મોજાં ન પહેરવા જોઈએ.
જે લોકોને ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા હોય તેમણે પણ આ ટાળવું જોઈએ. મોજાં સાફ રાખવા અને સમયાંતરે તેને સાફ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. આ ચેપનું જોખમ ઘટાડે છે.












Click it and Unblock the Notifications
