અમુક લોકોને હવામાન ભલે કોઈ પણ હોય પરંતુ ઓઢ્યા વિના ઉંઘ નથી આવતી, જાણો કેમ?
આવો જાણીએ કે અમુક લોકોને ભલે કોઈ પણ હવામાન હોય પરંતુ ઓઢ્યા વિના ઉંઘ કેમ નથી આવતી.
સારી ઉંઘ માટે અમુક લોકો સૂતા પહેલા ન્હાવાનુ પસંદ કરે છે તો અમુક લોકો વિશેષ સ્થિતિમાં સૂવે તો જ તેમને સારી ઉંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે એ છે કે રાતે સૂતી વખતે તેમને ચાદર કે ધાબળાની જરૂર પડે છે. હવામાન ગમે તેવુ હોય, મોટાભાગના લોકો સારી ઉંઘ માટે ચાદર કે ધાબળો ઓઢ્યા વિનના સૂવાની કલ્પના નથી કરી શકતા. આવો જાણીએ કે અમુક લોકોને ભલે કોઈ પણ હવામાન હોય પરંતુ ઓઢ્યા વિના ઉંઘ કેમ નથી આવતી.

મનોવૈજ્ઞાનિક કારણ
આ મનોવૈજ્ઞાન પાછળનુ કારણ પણ છે. જ્યારે વ્યક્તિ સૂવે છે ત્યારે તેના શરીરનુ તાપમાન ઘટવા લાગે છે અને તે સવારે 4 વાગે સૌથી નીચા પોઈન્ટ પર પહોંચી જાયછે. આ પ્રક્રિયા સૂવાના એક કલાક પહેલા શરૂ થઈ જાય છે અને જ્યારે એક વાર વ્યક્તિ રેપિડ આઈ મૂવમેન્ટ (આરઈએમ) સ્લીપ સાઈકલ પર પહોંચી જાય ત્યારે શરીર તાપમાન વિનિયમિત કરવાની ક્ષમતા ગુમાવી દે છે. રેપિડ આઈ મૂવમેન્ટનો અર્થ વ્યક્તિની બંધ આંખની અંદર કીકીઓનુ તીવ્ર ગતિથી આમ-તેમ ફરવુ છે. ચાદર કે ધાબળો વ્યક્તિને આખી રાત ગરમ રહેવામાં મદદ કરે છે અને ઠંડીથી બચાવે છે.

સર્કેડિયન લયના કારણે
બેડ પર જતી વખતે પોતાને એક ધાબળામાં ઢાંકી દેવુ સર્કેડિયન લયનો મહત્વપૂર્ણ ભાગ છે. સર્કેડિયન લય 24 કલાકનુ એક ચક્ર છે કે જે જૈવ રાસાયણિક, શારીરિક અને વ્યવહારિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરીને ઉંઘના ચક્રને પ્રભાવિત કરે છે. એટલે કે એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શરીર ક્યારે સૂવા જવા માટે તૈયાર છે અને ક્યારે જાગવા માટે તૈયાર છે. આ આદતને જન્મથી જ વિકસિત કરવામાં આવે છે અને મોટા થવા પર પણ તે આમ જ બની રહે છે.

અનિદ્રાથી પીડિત વ્યક્તિ
વર્ષ 2015માં જર્નલ ઑફ સ્લીપ મેડિસીન એન્ડ ડિસઑર્ડરમાં પ્રકાશિત એક અભ્યાસથી માલુમ પડ્યુ છે કે એક ભારે ધાબળા નીચે સૂવાથી રાતે સારી ઉંઘ લેવામાં મદદ મળે છે. 2020માં અમેરિકન જર્નલ ઑફ ઑક્યુપેશનલ થેરેપીમાં પ્રકાશિત થયેલ અભ્યાસમાં ખુલાસો થયો કે ભારે ચાદર પણ ચિંતા અને અનિદ્રાથી પીડિત લોકોની મદદ કરી શકે છે. અનિદ્રાથી પીડિત વ્યક્તિ માટે ઉંઘ આવવી કે સૂતા રહેવુ મુશ્કેલ હોય છે. અનિદ્રા સામાન્ય રતે દિવસના સમયે ઉંઘ, સુસ્તી અને માનસિક તેમજ શારીરિક રીતે બિમાર થવાની સામાન્ય અનુભૂતિને વધારે છે.

સુરક્ષિત અનુભવાય છે
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ધાબળાની ગરમી અને આરામ રાતે સુરક્ષા અનુભવાય છે. અંધારાનો ડર એક સામાન્ય ડર છે અને તે ડરથી ખુદને બચાવવા માટે ધાબળાનો ઉપયોગ કરે છે. એ સુનિશ્ચિત કરવુ જરૂરી છે કે જે ધાબળાનો ઉપયોગ કરી રહ્યા છે તેનુ મટીરિયલ એવુ હોય જેની અંદર શ્વાસ લેવુ સુવિધાજનક હોય અને પરસેવો અને ભેજની મુશ્કેલી ન થાય. રાતે આરામદાયક અનુભવવા માટે તે પૂરતુ નરમ હોવુ જોઈએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
