Vitamin Deficiency : થાક અને કમજોરીથી છો પરેશાન, હોય શકે છે વિટામીનની કમી
Vitamin Deficiency : આપણા શરીરને હલનચલન માટે ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકમાંથી મળતા પોષકતત્વો અને વિટામીન્સ વગેરે શરીરને સ્વસ્થ રાખે છે. આવામાં જો આપણા શરીરમાં પોષકતત્વો કે વિટામીન્સની ઉણપ સર્જાય તો કમજોરી અને થાક લાગે છે.
ભારતમાં ઘણા લોકો વિટામીનની ઉણપનો સામનો કરી રહ્યા છે. એટલા માટે આપણે પણ સમયસર સજાગ રહેવું જોઈએ. ઘણા ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવે છે કે, ઘણીવાર સ્વસ્થ દેખાતા ઘણા લોકો આંતરિક રીતે નબળા હોય છે.

વિટામિનની ઉણપના ગેરફાયદા
વિટામિનના ઘણા પ્રકારો છે, જેમાં A, B, C, D, E અને Kનો સમાવેશ થાય છે. દરેક પોષક તત્વોનું પોતાનું મહત્વ હોય છે અને તેનાથી શરીરને ફાયદો થાય છે. તેમની ઉણપને કારણે શરીર નબળું પડી જાય છે, હાડકાં સંકોચવા લાગે છે, સ્નાયુઓમાં પણ દુઃખાવો થવા લાગે છે. ઘણા એવા કિસ્સાઓ છે, જેમાં ત્વચા શુષ્ક અને ઢીલી થઈ જાય છે, આ સાથે જ માથાના વાળ પણ નબળા થઈ જાય છે.
કોને વધુ વિટામિનની જરૂર છે?
કોઈપણ ઉંમરનો વ્યક્તિ વિટામીનની ઉણપનો શિકાર બની શકે છે, પરંતુ વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ આનો શિકાર બને છે. જો તમે બીમારી દરમિયાન અમુક દવાઓ લો છો, તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. આ સિવાય જો યુવાનો હેલ્ધી ફૂડને બદલે કંઈપણ આચરકુચર ખાવાનું શરૂ કરે, તો તેમનામાં વિટામીન અને અન્ય પોષક તત્વોની પણ ઉણપ જોવા મળે છે.
મલ્ટીવિટામીન ખાવું જોઈએ
જો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે, તો તેને દૂર કરવા માટે મલ્ટીવિટામીન સપ્લીમેન્ટ્સ લઈ શકાય છે. આ ખાવાથી વિટામીન્સની ઉણપ દૂર થશે, જે સાથે સાથે શરીરને ક્રોમિયમ, ઝિંક, સેલેનિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ મળશે.
મલ્ટીવિટામીન ખાવાના ફાયદા
મલ્ટીવિટામીન ખાવાથી શરીરને ગજબની એનર્જી મળે છે, તેનું શરીર અને નર્વસ સિસ્ટમ સુધરે છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે રોગચાળા દરમિયાન પણ સુરક્ષિત રહી શકો છો. જો પગ, શરીર અને હાથમાં દુઃખાવો થતો હોય, તો મલ્ટીવિટામીન તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
