રસોડામાં પડેલા આ ખોરાક તમારા પ્રાણ લઈ શકે છે!
તમને લાગશે કે રસોડામાં પહેલો ખોરાક તમારા માટે ધાતક કરી રીતે હોઇ શકે પણ આ વાત સાચી છે. આજે અમે બટાકા, કાજુ, બદામ જેવા ખોરાક જે તમે રોજ બરોજના જીવનમાં પણ ખાવ છો તે કેવી રીતે તમારા માટે ઝેરી હોઇ શકે છે તે વિષે જણાવીશું.
એટલું જ નહીં અમુક ફળોના બીજ, ટમેટાના પાન પણ કેટલીક વાર ધાતક સાબિત થાય છે. આ ખતરનાક ખોરાક તમારા સ્વાસ્થયને ચપટીમાં બગાડી શકે છે. અને તમને ગંભીર રીતે બજાર કરી શકે છે.
ત્યારે જાણો કેવી રીતે રસોઇમાં રહેતા આ સામાન્ય લાગતા ખોરાક તમારા માટે પ્રાણધાતક બની શકે છે તે વિષે જાણો નીચેના આ રસપ્રદ આર્ટીકલમાં. અને જાણો તેવા તો કયા કયા ઝેર આ ખોરાક પેદા કરે છે. તો વાંચો આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડર...

ફળના બીજ
પીચ અને એપ્રિકોટના બીજ જીવલેણ હોઇ શકે છે. આ ફળોના બીજ હાઇડ્રોજન સાઇનાઇડ પ્રકારનું ઝેર જેને પ્રસિક એસિડ કહેવાય છે તે ધરાવે છે. જે તમારા શરીરને નુક્શાન પહોંચાડી શકે છે.

રેવંચી
આ હર્બ ખૂબ જ ઝેરી પ્રકૃતિ ધરાવે છે. કહેવાય છે કે રેવંચીના પાન માણસને મારી પણ શકે છે. જો કે રેવંચીના મૂળિયા ખૂબ જ સ્વાસ્થય વર્ધક હોય છે. અને તેનો ઉપયોગ ખાલી કબજીયાતમાં જ કરવો જોઇએ.

ટામેટા
ટામેટા આપણે સામાન્ય રીતે રોજ ખાઇએ છીએ. દાળ-શાકમાં એક ટામેટું તો પડતું જ હોય છે. પણ તેના પાન અને તેના દાંડી એક પ્રકારનું રસાયણ ધરાવે છે જેને ગાલ્ય્કોલકોલિડ કહેવાય છે જે ઝેરી હોય છે. જો કોઇ ભૂલથી આ પાન કે દાંડી ખાઇ લે તો ગભરામણ અને પેટના ગંભીર દુખાવો થઇ શકે છે જે જીવલેણ પણ હોઇ શકે છે.

બટાકા
લીલા પડતા જે બટાકા આવે છે જે ઝેરી હોય છે. તેમાં પણ ટામેટાની જેમ જ ગાલ્ય્કોલકોલિડ ઝેર હાજર હોય છે. જે તમને લાંબા ગાળાની માંદગી આપી શકે છે અને કોમા જવાનો પણ વારો આવી શકે છે.

બદામ
જો બદામનો ટેસ્ટ થોડા પણ બદલાય તે કડવી લાગે તો તેને ફેંકી દો અને બને તો તેને શેકી કે પાણીમાં પલાળી રાખ્યા બાદ જ ખાવ. જેથી તેની અંદરનું સાઇનાઇડ ઝેર દૂર થઇ જાય.

જાયફળ
ખરાબ થયેલા જાયફળ તમારા મગજને ખલાશ પણ કરી શકે છે. તો આ જાયફળને પણ ખાસ ધ્યાન રાખીને ખાજો.

મધ
દુકાનમાં અધિકૃત એગમાર્ગ વાળુ મધ જ લેવું હિતાવહ છે. પેસ્ચ્યુરાઇઝ કર્યા વગરનું મધ ગ્રયાનોટોક્સિન નામનું ઝેર ધરાવે છે. જે તમને 24 કલાક સુધી ઉલટીઓ કરવી શકે છે.

ટૂના
ટૂનામાં સારા એવા પ્રમાણમાં મર્ક્યૂરી હોય છે. માટે ગર્ભવતી મહિલાઓને તેને ના ખાવી જોઇએ. તેનાથી બાળકને પણ અસર થાય છે અને મિસકેરેજ પણ થઇ શકે છે.

કાજૂ
રો કાજૂ એટલે કે કાચા પ્રોસેસ કર્યા વિનાના કાજૂ પ્રાણધાતક હોઇ શકે છે કારણ કે તેમાં ઉરુશિઓલ નામનું રસાયણ હોય છે. આ ઝેર પોઈઝન આઇવીમાં પણ જોવા મળે છે.

ટેપીઓકા કે અરવી
અરવીના પાન અને મૂળિયાની અંદર મોટા પ્રમાણમાં સાઇનાઇડ હોય છે. જે પ્રાણ ધાતક સાબિત થઇ શકે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
