Urine based diseases : ઓછો પેશાબ આવે તો તાત્કાલિક સાવધાન થઈ જાઓ, હોઈ શકે છે આ ગંભીર બિમારી
Urine based diseases : માણસના શરીરની રચનાના ઉત્સર્જનતંત્રની રચના ખુબ જ મહત્વની છે. તેમાં સહેજ પણ સમસ્યા સર્જાય તો મોટી બિમારીઓને જન્મ આપી શકે છે.
માણસના શરીરમાં ખોરાક અને પાણીની જેમ જ શરીરમાંથી મળ અને મુત્રનું ઉત્સર્જન ખુબ જ જરૂરી છે. ખાસ કરીને પેશાબમાં સમસ્યાઓને કારણે કિડની સંબંધી ઘણી બિમારીઓ થઈ શકે છે.

સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ કલાકે એકવાર પેશાબ આવવો જોઈએ. આ ઉંમર પ્રમાણે પણ બદલાઈ શકે છે. જો કે 24 કલાક લાંબા સમય સુધી પેશાબ ન થાય અથવા ઓછો પેશાબ થતો હોય તો સાવચેત થઈ જવુ જરૂરી છે. આ ઘણા ગંભીર રોગોનું લક્ષણ હોઈ શકે છે.
પેશાબ ઓછો થવાના કારણો
કિડનીની સમસ્યાઓ
પેશાબ ઓછો આવવો એ કિડની ફેલ્યોર અને કિડનીમાં પથરીના સામાન્ય લક્ષણ છે. પેશાબ ઓછો થવાનું અથવા સમયાંતરે આવવાનું કારણ કિડની ચેપ પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં વિલંબ કર્યા વિના ડૉક્ટર પાસે જવું જોઈએ.
પેશાબનો ચેપ
પેશાબના ચેપને કારણે પેશાબ સમયાંતરે અથવા ઓછી માત્રામાં આવે છે. પથરી પણ પેશાબ ઓછો થવાનું કારણ બની શકે છે. પેશાબની નળીઓનો ચેપ પણ પેશાબમાં અનિયમિતતાનું કારણ બની શકે છે. પ્રોસ્ટેટ કોથળીમાં સમસ્યા હોય તો પણ પેશાબનું પ્રમાણ કુદરતી રીતે ઘટે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસને કારણે પણ પેશાબ ઓછો થઈ શકે છે. બ્લડ સુગર વધે ત્યારે આ સમસ્યાઓ જોવા મળે છે. આને અવગણવું જોઈએ નહીં અને સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
હૃદય કે લીવર રોગ
હૃદય રોગ જેમ કે હૃદયની નિષ્ફળતા અથવા લીવર સિરોસિસ પણ પેશાબ ઓછો કરે છે. આ કિસ્સાઓમાં વ્યક્તિને લાંબા સમય સુધી પેશાબ કરવાનું મન થતું નથી. આ પરિસ્થિતિને ક્યારેય અવગણવી ન જોઈએ.
ન્યુરોલોજીકલ અને હોર્મોનલ સમસ્યાઓ
મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પેશાબ ઘટાડી શકે છે. આ ઉપરાંત એડિસન રોગ જેવા હોર્મોનલ અસંતુલનને કારણે પણ પેશાબ ઓછો થઈ શકે છે. આ કારણે વ્યક્તિને લાંબા સમય સુધી પેશાબ કરવાનું મન થતું નથી.
કેન્સર
કિડની કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા કેટલાક પ્રકારના કેન્સરને કારણે પણ પેશાબ ઓછો થઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને યોગ્ય સમયે સારવાર લેવી જોઈએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
