Water Fasting : શું છે વોટર ફાસ્ટિંગ? જાણો કેમ લોકો વજન ઘટાડવા તેનો સહારો લઈ રહ્યાં છે?
Water Fasting : ફિટનેસ ફ્રિક લોકો ફિટનેસ અને વજન ઘટાડવા માટે વિવિધ ટ્રેન્ડને ફોલ કરે છે. હવે આવો જ એક ટ્રેન્ડ આજકાલ પોપ્યુલર થઈ રહ્યો છે.
વજન ઘટાડવા લોકો ડાયટ ફોલો કરે છે કે હેવી વર્કઆઉટ કરે છે ત્યારે કોસ્ટા રિકાના એડિસ મિલર નામનો વ્યક્તિ તેના અદ્ભુત ટ્રાન્સફોર્મેશન માટે સમાચારોમાં છે.

આ વ્યક્તિએ 21 દિવસમાં 13 કિલો વજન ઘટાડીને લોકોને ચૌકાવી દીધા છે. આ માટે તેમણે વોટર ફાસ્ટિંગનો સહારો લીધો. હવે આ વોટર ફાસ્ટિંગ શું છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
વોટર ફાસ્ટિગ શું છે?
એડિસ મિલરે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ત્રણ અઠવાડિયા સુધી વોટર ફાસ્ટિગ કરવાથી 13.1 કિલો એટલે કે 28 પાઉન્ડ વજન ઘટાડ્યું છે, જ્યારે શરીરની ચરબી પણ 6% ઘટી ગઈ છે.
વોટર ફાસ્ટિગમાં ઘનને બદલે પ્રવાહી આહાર લેવામાં આવે છે. વોટર ફાસ્ટિગમાં પાણી અથવા પ્રવાહી આહારનું સેવન ચોક્કસ સમયના અંતર પછી જ કરવાનું હોય છે. વોટર ફાસ્ટિગ શરીરના વધુ સારા ડિટોક્સિફિકેશન, સારી પાચન અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફાયદા
- લિક્વિડ ડાયટ પર રહેવાથી હાઇડ્રેશન લેવલ સુધરે છે.
- પાચનતંત્ર સુધરે છે અને માનસિક સ્વાસ્થ્ય સંતુલિત રહે છે. એક સંશોધન મુજબ, વજન ઘટાડવાની સાથે, વોટર ફાસ્ટિંગથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ ઓછી થાય છે.
નુકસાન
- આનાથી શરીરમાં પોષણની ઉણપ થઈ શકે છે.
- લાંબા સમય સુધી ભૂખમરો શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને કારણે ગંભીર કિસ્સાઓમાં નબળાઈ, ચક્કર અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
- જે લોકો ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી પીડિત હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા વિના જરા પણ આ ન કરવુ જોઈએ.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
