World heart day: દિલને સંભાળીને રાખો, દીલને દીમાગ નથી હોતુ
આજે World heart day છે. હ્રદય આપણાં શરીરનું એ અંગ છેકે જેના વગર જીવવુ અશક્ય છે. દિલ ના હોય તો લાગણીઓ નથી હોતી, સંવેદનશીલતા નથી હોતી, અને પ્રેમ પણ નથી હોતો અને આ બધા વગર જીવન જીવન નથી હોતુ. તેથી જ શરીરના અનમોલ અંગને સ્વસ્થ્ય રાખવુ ખુબ જ જરૂરી હોય છે. અને એટલે જ વિશ્વભરમાં આજે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થઇ રહી છે. આજે ભારત સહિત આખીય દુનિયામાં લોકોને હ્રદયને સ્વસ્થ્ય રાખવા માટે દોડાવવામાં આવ્યા. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે લોકોને 30 મિનીટ ચાલવાનું કહેવામાં આવ્યું અને લોકોએ મોટાપાયે તેમા ભાગ લીધો.
ઇતિહાસ
હ્રદય માટે જાગૃત્તિ ફેલાવવાના હેતુથી અને હ્રદય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દુનિયાભરમાં દરેક વર્ષે 29 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ હ્રદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સૌથી ભયનજક સ્થિતિ એ છેકે આજે ઉંમરલાયક લોકોને જ હ્રદયની બિમારીઓ થઇ રહી છે, તેવુ નથી પણ ઓછી ઉંમરના બાળકો પણ તેનો શિકાર થઇ રહ્યાં છે. World heart day મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી.

હ્રદય રોગના દર્દીઓ
વિશ્વમાં દર વર્ષે હ્રદય રોગના હુમલાના કારણે 1 કરોડથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યાં છે. તેથી લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શું છે કારણ
હાલમાં ભાગતા દોડતા જીવનમાં લોકોને પોતાના માટે સમય જ નથી મળતો. વર્તમાન સમયની લાઇફસ્ટાઇલ જ હ્રદય રોગો માટે સૌથી મોટું કારણ છે. ધુમ્રપાન, આલ્કોહોલ, મોડા ઉઠવું, મોડા ઉંઘવુ, તીખા મસાલા વાળા ભોજન, મોટાપો વગેરે કારણો છે કે જે હ્રદય રોગને આમંત્રિત કરે છે. ડાયાબીટીસ અને હાઇબ્લડપ્રેશર પણ હ્રદય રોગની સમસ્યાને આમંત્રિત કરે છે.

દિલ પાસે દિમાગ નથી હોતુ
વેલ, દિલ પાસે દિમાગ નથી હોતુ અને એટલે જ તમે તમારો અને તમારા પોતાના લોકોના દિલનો ખ્યાલ રાખો. અહીં હ્રદયને સ્વસ્થ્ય રાખવા માટે કેટલીક ટીપ્સ શેર કરવામાં આવી છે.

વોક કરો
સવારે અને સાંજે નિયમીત રીતે ચાલવાનું રાખો. નિયમિત રીતે માત્ર 15થી 30 મિનિટ સુધી ચાલવુ તમારા માટે વરદાન સમાન સાબિત થશે.

હેલ્થી ખોરાક અને ખૂબ પાણી
હેલ્થી ખોરાક લો, અને દિવસભર ખૂબ પાણી પીવો.

તણાવમુક્ત
તણાવમુક્ત જીવો. જો તણાવ વધુ મહેસુસ કરો છો, તો યોગા કરો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
