શું તમારી યાદશક્તિમાં ઘટાડો થઇ રહ્યો છે? તો આ 10 વસ્તુઓ ખાવાનું શરૂ કરો
તંદુરસ્ત જીવન માટે મગજના કાર્યમાં સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, બાકીનું શરીર તેના આદેશ મળ્યા બાદ જ કામ કરે છે. તેથી, તંદુરસ્ત જીવન માટે આપણા મગજનું કાર્ય યોગ્ય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
World Mental Health Day 2021 : તંદુરસ્ત જીવન માટે મગજના કાર્યમાં સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, બાકીનું શરીર તેના આદેશ મળ્યા બાદ જ કામ કરે છે. તેથી, તંદુરસ્ત જીવન માટે આપણા મગજનું કાર્ય યોગ્ય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોને આ અંગે જાગૃત કરવા માટે, 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તો ચાલો અમે તમને એવી 10 વસ્તુઓ વિશે જણાવીએ જે આપણા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પાલક - પાલકમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે યાદશક્તિ વધારવાની સાથે સાથે શીખવાની ક્ષમતામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય પાલકમાં વિટામિન બી 6, ઇ અને ફોલેટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ફોલેટની ઉણપ મેમરી લોસ અને અલ્ઝાઇમર તરફ દોરી જાય છે.
અખરોટ - અખરોટ પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે. અખરોટ ખાવાથી યાદશક્તિમાં સુધરો થાય છે. અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડનો એક પ્રકાર હોય છે જેને આલ્ફા લિનોલેનિક એસિડ (ALA) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બ્લડ પ્રેશર ઘટાડે છે અને ધમનીઓનું રક્ષણ પણ કરે છે. અખરોટ હૃદય અને મન બંને માટે સારું છે.
આખુ અનાજ - આખા અનાજમાં કાર્બોહાઈડ્રેટ, ઓમેગા 3 અને વિટામિન બી જોવા મળે છે. તે મગજના વિકાસ અને હલનચલન માટે જરૂરી માનવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ ઉર્જા, મૂડ અને વર્તન જાળવે છે અને યાદશક્તિને શાર્પ કરે છે.
કોફી - કોફી એકાગ્રતા વધારવામાં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત તે મગજમાં એન્ટીઓકિસડન્ટ પણ પહોંચાડે છે. શરીરમાં કેફીનની ખાસ જરૂર છે. મર્યાદિત માત્રામાં કેફીનનું સેવન ખૂબ ફાયદાકારક છે.
ડાર્ક ચોકલેટ - ચોકલેટ મનને શાર્પ કરવા માટે પણ ખૂબ મદદરૂપ છે. ડાર્ક ચોકલેટ, જેમાં 70 ટકા નાળિયેર હોય છે, તે બ્રેઇન બુસ્ટર તરીકે કામ કરે છે. ફ્લેવોનોઈડ્સ કોકોમાં જોવા મળે છે, જે એન્ટીઓકિસડન્ટ છે અને તે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય સફરજન, દ્રાક્ષ, ડુંગળી, ચા, બિયર અને વાઇનમાં પણ ફ્લેવોનોઈડ્સ જોવા મળે છે.
ફેટી ફિશ - ઓમેગા -3 ફેટી એસિડ ફેટી ફિશમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે એક પ્રકારની અસંતૃપ્ત ચરબી છે જે બીટા એમીલોઇડનું સ્તર ઘટાડે છે. બીટા એમાઈલોઈડને કારણે, લોકોમાં મગજમાં ઝુંડ રચાય છે, જેના કારણે અલ્ઝાઈમરની સમસ્યા થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલી ખાવી હિતાવહ છે. સેલ્મોન, કોડ અને ટુના માછલી ખાવી ફાયદાકારક રહેશે.
લીલા શાકભાજી - લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન સી જેવા એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે. તેમાં કેરોટીનોઇડ્સ પણ હોય છે. તેઓ શક્તિશાળી મગજ રક્ષક તરીકે પણ ઓળખાય છે. બ્રોકોલી, કોબી, બ્રસેલ્સ અને ફણગાવેલા શાકભાજી મગજ માટે ફાયદાકારક છે.
દૂધ- દૂધમાં વિટામિન બી 6, બી 12, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય, દૂધનું પ્રોટીન પણ તણાવગ્રસ્ત લોકોના મગજની કામગીરી સુધારવામાં મદદ કરે છે.
બ્લેકબેરી - અભ્યાસો અનુસાર બ્લેકબેરીનું સેવન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમને શોર્ટ ટર્મ મેમરી લોસની ફરિયાદ હોય તો ચોક્કસપણે તેનું સેવન કરો. બ્લેકબેરી એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે, જે મગજના કોષોને સુરક્ષિત કરે છે. આ ઉપરાંત તે મગજના કોષોના વિકાસમાં પણ મદદ કરે છે.
પાણી - આપણા મગજનો 85 ટકા ભાગ પાણીથી બનેલો છે, જે સ્પષ્ટ કરે છે કે, પાણીનો અભાવ મગજના કોષોમાં સંકોચન પેદા કરી શકે છે. સંશોધન મુજબ પાણીનો અભાવ મગજના કોષોને તેમજ એકાગ્રતા અને યાદશક્તિને અસર કરે છે. દિવસમાં ઓછામાં ઓછા 6 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
