જાણો પુરાણોમાં કેમ કહેવાયું છે જમીન પર બેસીને જમવું જોઇએ
[શાસ્ત્ર] હંમેશા આપણે જ્યારે કોઇ ધાર્મિક પ્રસંગમાં જઇએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ત્યાં લોકોને જમવાનું જમીન પર બેસાડીને આપવામાં આવે છે. હવે તે લંગર હોય કે ભંડારો, પૂજા-પાઠ હોય કે જાપ-મંત્રના દરેક પ્રસંગે સાધુ-પંડિતોને ભોજન જમીન પર બેસાડીને જ કરાવવામાં આવે છે, શું આપે ક્યારેય વિચાર્યું છે એવું શા માટે?
આપનામાંથી ઘણા લોકોનો જવાબ હશે કે અરે આ તો પૂજા પાઠનું કામ છે, નહીંતર જમીન પર બેસીને કોણ જમે છે આજકાલ.. આજે તો દરેકજણ ડાઇનિંગ ટેબલ પર બેસીને આરામથી ભોજન કરે છે પરંતુ મિત્રો આપને જણાવી દઇએ કે જમીન પર બેસીને ભોજન કરનાર વ્યક્તિ સ્વસ્થ્ય અને નિરોગી રહે છે.
દરેક વસ્તુની પાછળ એક મોટુ કારણ રહેલું હોય છે, આપણા હિન્દુ પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે તેની પાછળ મોટું અને સચોટ કારણ પણ છે, જેને આપણા દેશના જ નહીં પરંતુ વિદેશના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે.
આવો જોઇએ કે શું છે જમીન પર બેસીને ભોજન કરવાનું રહસ્ય...

સુખાસન અથવા પદ્માસન
આપ જ્યારે પણ જમીન પર બેસીને ભોજન કરશો તો આપ હંમેશા પલાઠી મારીને બેસશો, જે સુખાસન અથવા પદ્માસનની અવસ્થા છે, આપ નહીં ઇચ્છતા પણ યોગ કરી લેશો જે આપના પાચનના દ્રષ્ટિકોણથી ખૂબ જ જરૂરી છે.

લોહીનું યોગ્ય પરિભ્રમણ
આજે સીધી પીઠ કરીને નીચે બેસશો જેનાથી આપની માંસપેશિયોમાં તાણ ઓછો થશે અને આપના લોહીનું પરિભ્રમણ યોગ્ય દિશામાં થશે જેનાથી જેના દ્વારા ભોજનને જલદી પચવામાં મદદ મળશે.

પેટ અને પીઠ માંસપેશિયોમાં લચક
જમીન પર બેસીને ભોજન કરવાથી થાળી લેવા માટે આપે ઝુકવુ પડે છે, અને જમવાનું ઉઠાવ્યા બાદ આપ પાછળ થઇ જાવ છો. આ પ્રકારે આપ ઘણીવાર આગળ પાછળ થઇએ છીએ જેનાથી પેટ અને પીઠની માંસપેશીઓમાં લચક બની રહે છે, જે ભૂખમાં વધારો કરે છે.

દિલ-દિમાગ બને છે સ્વસ્થ
પદ્માસનમાં બેસીને ખાવાથી આપ માનસિક તણાવથી દૂર થઇ જાવ છો, જેનાથી આપનું દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહે છે.

ઘુંટણની સમસ્યામાં રાહત મળે છે
જમીન પર બેસવા માટે આપને આપના ઘુંટણ વાળવા પડે છે. જેનાથી આપના ઘુંટણની પણ સારી એવી કસરત થઇ જાય છે, અને તેમાં રાહત મળે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
