How to: આધાર-પાન કાર્ડને આ નવી સુવિધાથી કરો લિંક
આયકર વિભાગ દ્વારા પોતાની વેબસાઇટ પર એક Link Aadhar નામની લિંક મૂકવામાં આવી છે જે સરળતાથી કરે છે આધાર અને પાન કાર્ડને લિંક.
આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટે સરકારી આદેશના કારણે તમામ લોકોને આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરાવવું જરૂરી છે. તો જો તમે હજી સુધી આમ નથી કરાવ્યું અને ઓનલાઇન આ લિંક કરાવવા ઇચ્છી રહ્યા છો તો તમારી માટે એક સરળ રસ્તો છે જે અમે તમને શીખવીશું. આ દ્વારા તમે 10 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આધાર અને પાનકાર્ડને એકબીજા સાથે લિંક કરી શકશો. તો જાણો કેવી રીતે ઓનલાઇન આ સમગ્ર પ્રક્રિયા કરવી.

લિંક
આયકર વિભાગે તેની વેબસાઇટ પર એક Link Aadhar નામની લિંક નાખેલી છે. જ્યાં તમે ખૂબ જ સરળતાથી આધાર અને પાન કાર્ડને લિંક કરી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા પછી એક પેઝ ખુલશે. જેમાં પાન નંબર, આધાર નંબર, અને આધાર કાર્ડ પર આપવામાં આવેલા નામને તમારે લખવાનું હશે. તેમાં કેપ્ચા કોડ નાંખીને તમારે તમારી જાણકારી સબમિટ કરાવવી પડશે.

ઓટીપીની મદદ
યુઆઇડીએઆઇની તરફથી વેરિફિકેશન થયા પછી આધાર કાર્ડ અને પાન કાર્ડનું લિકિંગ કન્ફર્મ કરવામાં આવશે. જો તમારા આધાર અને પાન કાર્ડના અલગ અલગ નામના કારણે મુશ્કેલી અનુભવતા હોવ તો આ મુશ્કેલીમાં ઓટીપી તમને મદદ કરી શકે છે. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી પર આ ઓટીપી આવશે.

આ વસ્તુ સમાન હોવી જોઇએ
આધાર અને પાન કાર્ડને લિંક કરતી વખતે આ બે વસ્તુ સમાન હોવી ખૂબ જ જરૂરી છે. એક તમારી જન્મ તિથિ અને બીજું તમારું લિંગ. આ બન્નેમાં કોઇ અંતર ના હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ફાઇનેન્સ એક્ટ 2017 મુજબ સરકારે ટેક્સ જમા કરવા માટે આધાર નંબર અને પાનકાર્ડ જોડાયેલું હોવું જોઇએ.

વધુમાં
વધુમાં આયકર વિભાગની આ સુવિધાનો ઉપયોગ લેવા માટે તે જરૂરી નથી કે તમારે આયકર વિભાગની વેબસાઇટ પર તમે રજિસ્ટર હોવ. આ સુવિધાનો ઉપયોગ કોઇ પણ કરી શકે છે. અને આ દ્વારા સરળતાથી આધાર અને પેનને લિંક કરી શકે છે. 1 જુલાઇ 2017 પહેલા આ કામ તમે જરૂરથી કરી લેજો. કારણ કે સરકારી સમય મુજબ તમને આ બન્નેને લિંક કરવા માટે ખાલી 1 જુલાઇ 2017 સુધીનો જ સમય આપવામાં આવ્યો છે.
{promotion-urls}
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
