આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચમાં નીકળશે બંપર ભરતી! સર્વેમાં થયો ખુલાસો
આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચમાં નીકળશે બંપર ભરતી! સર્વેમાં થયો ખુલાસો
બેરોજગારો માટે નવું વર્ષ નોકરીની તક લઈને આવશે તેવી ઉમ્મીદ જતાવાઈ રહી છે. મંગળવારે જાહેર થયેલા એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 49 ટકા કંપનીઓ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વધુ ભરતી કરવાની યોજના બનાવી રહી છે. કોરોનાવાયરસ મહામારીના કારણે બનેલા હાલાતમાં સતત સુધારાને પગલે ભરતી પ્રક્રિયાઓમાં તેજી આવી રહી છે.
બંપર નોકરી નીકળશે
મેનપાવર ગ્રુપના રોજગાર પરિદ્રશ્ય સર્વે (ManpowerGroup Employment Outlook Survey) મુજબ ભારતમાં ભારતીઓનો માહોલ ગત આઠ વર્ષમાં સૌથી મજબૂત છે. પાછલા ક્વાર્ટરના મુકાબલે તેમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે અને એક વર્ષ પહેલાની સમાન અવધિના મુકાબલે તેમાં 43 ટકાનો વધારો થયો છે.
3020 એમ્પલોયર પર સર્વે કરાયો
આ સર્વે 3020 એમ્પલોયર પર કરવામાં આવ્યો, જેમાંથી 64 ટકાએ કહ્યું કે તેઓ કર્મચારીઓની સંખ્યા વધારી શકે છે. 15 ટકા એમ્પલોયરને કર્મચારીઓ ઘટાડવાનું અનુમાન છે, જ્યારે 20 ટકા માને છે કે કોઈપણ પ્રકારનો બદલાવ નહીં થાય. આવી રીતે શુદ્ધ રોજગાર પરિદ્રશ્ય 49 ટકા બેસે છે. મેનપાવર ઈન્ડિયાના પ્રબંધ નિદેશક સંદીપ ગુલાટીએ કહ્યું કે ભરતીઓના પરિદ્રશ્યમાં મહામારી બાદના પુનરુદ્ધારને લઈ એમ્પલોયરનો ભરોસો વધ્યો હોવાની વાતનો સંકેત છે.
ડિજિટલ રોલ્સની ભારે માંગ
સર્વે મુજબ ડિજિટલ ભૂમિકાઓની સૌથી વધુ માંગ છે. આઈટી, ટેક્નોલોજી, દૂરસંચાર, સંચાર અને મીડિયા ક્ષેત્રના પરિદ્રશ્ય 60 ટકા સાથે સૌથી મજબૂત છે. જે બાદ 56 ટકા સાથે રેસ્ટોરાં અને હોટલ આવે છે અને પછી 52 ટકા સાથે બેંકિંગ, નાણા, વીમા અને રેયલ એસ્ટેટ આવે છે. આની સાથે જ સર્વે એમ પણ જણાવે છે કે મોટાભાગના એમ્પલોયર કાર્યસ્થળની સાથોસાથ ઘરેથી કામ એટલે કે Work From Home અપનાવી રહ્યા છે. સર્વેમાં મોટા સંગઠનોના નિયોક્તાઓમાં નિયુક્તિ ગતિવિધિઓને લઈ સૌથી આશાવાદી દ્રષ્ટિકોણ જોવા મળ્યો. આવા 51 ટકા એમ્પલોયર માર્ચ ક્વાર્ટરમાં હાયરિંગ કરવાની ઈચ્છા ધરાવે છે, જ્યારે નાની કંપનીઓના મામલામાં માત્ર 25 ટગકા નિયોક્તાઓએ જ આવી ઈચ્છા જતાવી છે.