CBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ(સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડની બાકી બચેલી પરીક્ષાઓ વિશે એક મહત્વની માહિતી આપી છે.
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ(સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડની બાકી બચેલી પરીક્ષાઓ વિશે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યુ છે કે 10માં અને 12માની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE)ની બાકી બચેલી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં જ આયોજિત કરવામાં આવશે નહિ કે બહારના કેન્દ્રો પર. વળી, પરિણામ જુલાઈના અંતમાં ઘોષિત કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા
આ પહેલા આ પરીક્ષાઓ વિશે ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. જેમાં બધી સ્કૂલોને તેનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા. ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર પરીક્ષા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટંસીંગને ધ્યાનમાં રાખીને પરીક્ષા થશે. બધા માટે થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની વ્યવસ્થા થશે.આ ઉપરાંત કોઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં પરીક્ષા કેન્દ્ર નહિ હોય. બધા માટે ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય હશે. છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવી શકે છે.
|
પરીક્ષા માટે લૉકડાઉનમાં છૂટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યુ કે 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષાઓના આયોજન માટે લૉકડાઉનના નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'છાત્રોના હિતોને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટંસીગ, માસ્ક જેવી શરતો સાથે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે લૉકડાઉનના નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'

નવા નિયમોનુ પાલન કરવાનુ રહેશે
નવા નિયમો અનુસાર માસ્ક અથવા કપડાથી બધાએ પોતાના નાક અને મોઢાને ઢાંકીને રાખવાનુ રહેશે. માતાપિતાએ એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે તેમનુ બાળક ક્યાંય બિમાર તો નથી. ઉત્તરપુસ્તિકા સવારે 10.00 વાગ્યાથી 10.15 વાગ્યા વચ્ચે વહેંચવામાં આવશે. પછી પ્રશ્નપત્ર 10.15 વાગે વહેંચવામાં આવશે. છાત્રોને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે. 10.30 વાગ્યાથી છાત્ર પ્રક્ષોના ઉત્તર લખવાનુ શરૂ કરી દેશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
