Agniveer Recruitment 2022: એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો એપ્લાય
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર ભરતી યોજના હેઠળ, નોંધણી આજથી એટલે કે 24 જૂનથી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે અને 05 જુલાઈ સુધી ચાલશે. ભારતીય વાયુસેનાએ 22 જૂનના રોજ નોંધણી માટે સૂચના બહાર પાડી હ
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર ભરતી યોજના હેઠળ, નોંધણી આજથી એટલે કે 24 જૂનથી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે અને 05 જુલાઈ સુધી ચાલશે. ભારતીય વાયુસેનાએ 22 જૂનના રોજ નોંધણી માટે સૂચના બહાર પાડી હતી. ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in એ એરફોર્સમાં અગ્નિવીર ભરતી માટે કેવી રીતે અરજી કરવી, પસંદગી કરવી, નોંધણી કરવી તે વિશેની તમામ માહિતી આપી છે.

એરફોર્સમાં અગ્નિવીર ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
અગ્નિવીર વાયુ ખાલી જગ્યા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારે પહેલા agnipathvayu.cdac.in પર જવું પડશે. આ સત્તાવાર વેબસાઈટ 24મી જૂને સવારે 10 વાગ્યાથી લાઈવ થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ પર મૂળભૂત વિગતો આપવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

અરજીની ફી કેટલી હશે
અગ્નિવીર વાયુ ભરતી માટે ઓનલાઈન નોંધણીમાં ફોર્મ ભર્યા પછી, રૂ. 250/-ની અરજી ફી પણ જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર સૂચના જોઈ શકે છે.

અગ્નિવીર માટે વય મર્યાદા કેટલી છે?
ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી વધુ અને 23 વર્ષથી ઓછી હોવી જોઈએ. અગાઉ આ વય મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હતી.

એરફોર્સમાં અગ્નિવીર બનવા માટે કોણ અરજી કરી શકે છે?
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર માટે અરજી કરવા માટે, તમારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 12મામાં ઓછામાં ઓછા 50% ગુણની જરૂર છે. આ ઉપરાંત 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા 2 વ્યાવસાયિક અભ્યાસક્રમો પાસ કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

જાણો કેટલો થશે પગાર?
ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી ચાર વર્ષ માટે રહેશે. ભરતીના પ્રથમ વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36 હજાર અને ચોથા વર્ષે 40 હજારથી પગાર શરૂ થશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
