For Daily Alerts
''બાપુ કલ્યાણસિંહ'' દુનિયામાં જડે નહી તેમનો જોટો
ત્યાં તો બાપુએ પેલા વાણીયા ને ખડાક દઇને લાફો મારી દીધો....
પેલો વાણીયો બોલ્યો બાપુ મારો કાંઇ વાક ગુનો..???
બાપુ બોલ્યા: મારા હારા તમે તો કોઇ દી વાંકમાં જ ના આવો તો અમારે શું આમ જ તમારી રાહ જોઇ બેઠા રહેવાનું..!!!!!
બોલો બાપુનું આવું કામકાજ છે. અરે ત્રણ ચાર વર્ષ પહેલા બાપુને ઘેલુ લાગેલુ કોલેજ કરવાનુ...બાપુનું ઘેરબેઠા એડમિશન પણ થઇ ગયુ. બાપુ લાગલગાટ ત્રણ વર્ષ સુધી ઘોડા પર બેસી કોલેજ ગયા. બાપુ સીધે સીધા ઘોડા સાથે ક્લાસમાં જતા રહે ભાઇ આતો બાપુ રેપ્યુટેશનનો સવાલ છે. બરાબર ત્રણ વર્ષ પછી બાપુને ચાલતા કોલેજ જતાં જોઇ કોઇએ પુછ્યું કે બાપુ આજે ચાલતા કા તમારો ઘોડો ક્યાં મુકી આવ્યા.? તો બાપુ ખડાક દૈ ને એક વળગાડી દઇ ગુસ્સે થઇ ને બોલ્યા. "મારો હારો ઘોડો ગ્રેજ્યુટ થઇ ગ્યો.." બોલો આવા અમારા બાપુ કલ્યાણસિંહ... દુનિયામાં જડે નહિ તેવો જોટો....
Comments
Story first published: Thursday, April 11, 2013, 16:49 [IST]