For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન-શાહરુખ નહિં, આમિર છે રાણીની નજીક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર. આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂરની ફિલ્મ તલાશ આવતીકાલે પડદા ઉપર આવી રહી છે. એક સસ્પેંસ થ્રિલર ફિલ્મ પ્રત્યે લોકોની આતુરતા એટલી બધી છે કે લોકોએ આ ફિલ્મ માટે એડવાંસ ટિકિટ ખરીદવી શરૂ કરી દીધી છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે ત્રણે કલાકારો દરેક ટેલીવિઝન ચૅનલોએ દેખાઈ રહ્યાં છે. આ જ ક્રમે તલાશની ટીમ પહોંચી દેશની પ્રમુખ ન્યુઝ ચૅનલ એબીપીના ન્યુઝ રૂમે.

Rani-Aamir

આ પ્રસંગે સૌએ તલાશ વિશે બહુ બધી વાતો મીડિયા સાથે શૅર કરી. દરમિયાન રાણી મુખર્જીએ એક મોટી બાબત જણાવી કે આમિર ખાન તેમના દિલની ખૂબ જ નજીક છે. તે અંગે આમિર ખાને જણાવ્યું કે રાણી વગર બીકે બોલો કે તમે મારા દિલની નજીક છો, નહિં કે સલમાન-શાહરુખના દિલની. હવે રાણીએ સ્મિત ફરકાવ્યું. રાણીએ આ વાત તે સવાલના જવાબમાં કહી કે જેમાં તેમને પુછવામાં આવ્યુ હતું કે એઝ ઍ કો-સ્ટાર આમિર ખાન વિશે તેઓ શું કહેવાં માંગશે.

ત્યારે રાણીએ જણાવ્યું કે ફિલ્મોમાં આવતા અગાઉથી જ તેઓ આમિર ખાનને જાણતા હતાં. આમિર સાથે જોડાયેલ દરેક વાતથી તેઓ વાકેફ છે. તેમના જીવનની દરેક નાની બાબત આમિર ખાનને ખબર છે. તેથી હું કહી શકું છું કે આમિર મારા દિલની સૌથી વધુ નજીક છે.

English summary
Aamir Khan is very close to my heart said Rani mukherkee On ABP NEWS. Rani is playing a role of Aamir's Wife in the upcoming movie Talaash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X