આમિરે તલાશ સ્વીકારી ડર વખતે કરેલી ભુલ સુધારી
મુંબઈ, 20 ઑક્ટોબર : આમિર ખાન હિન્દી મીડિયાનો બાદશાહ તરીકે ઓળખાય છે. તેઓ કહે છે કે તેઓ ક્યારેય ભુલ નથી કરતાં અને જો ક્યારેક ભુલ કરી બેશે, તો તેનાથી પાઠ શીખે છે. તેનું જીવતું-જાગતું દૃષ્ટાંત છે ફિલ્મ તલાશ... તેનાથી જોડાયેલું એક રહસ્ય જાહેર થયું છે.
મળતાં સમાચાર મુજબ ફિલ્મ તલાશ આમિર ખાન પહેલાં શાહરુખ ખાનને ઑફર કરાઈ હતી, પરંતુ તારીખોની સમસ્યાને પગલે તેમણે ઇનકાર કર્યો. જોકે ફિલ્મની વાર્તા અને વિષય કિંગ ખાનને ઘણાં પસંદ આવ્યા હતાં.
શાહરુખ બાદ ફિલ્મની ટીમ આમિર પાસે પહોંચી. આમિરે વાર્તા સાંભળતા જ ફટાક કરતાં ફિલ્મ સ્વીકારી લીધી, કારણ કે તેમને ખબર હતી કે વાર્તા બહુ સારી છે. જો તેઓ ઇનકાર કરી દેશે, તો ફિલ્મ વાળા પાછા શાહરુખ પાસે જતાં રહેશે.
એમ પણ તલાશ માટે ઇનકાર કરી તેઓ ડર ફિલ્મ વાળી ભુલને દોહરાવવા નહોતા માંગતા. યશ ચોપરા પોતાની સિલ્વર જ્યુબિલી ફિલ્મ ડર માટે પહેલા આમિર પાસે જ ગયા હતાં, પરંતુ આમિરે નેગેટિવ પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો. પછી આ ફિલ્મ કિંગ ખાનને મળી અને પરિણામ સૌની સામે છે. ફિલ્મની સફળતાએ શાહરુખને સફળતાના એવા મુકામે પહોંચાડ્યાં કે જ્યાં પહોંચવું દરેકના વશની વાત નથી હોતી. આમિર ખાને કાયમ માટે આ વાતનો અફસોસ રહે છે. તેથી જ્યારે તલાશ તેમને ઑફર કરાઈ, તો તેમણેતરત જ હા કહી નાંખી.
જોઇએ કે આમિર ખાનની તલાશ કિંગ ખાનની ડર જેવી હિટ થાય છે કે કેમ, પરંતુ એટલું તો નક્કી છે કે આમિરે આ ફિલ્મમાં ઘણી મહેનત કરી છે. આપ તલાશમાં પહેલી વાર મુંછાળા આમિર ખાનને જોશો. ફિલ્મમાં તેમની સાથે રાણી મુખર્જી અને કરીનાકપૂર છે. ફિલ્મમાં આમિર પોતે પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે.