ઓહ માય ગૉડ : ગાયત્રી મંત્ર જપે છે આરાધ્યા
મુંબઈ, 19 માર્ચ : આરાધ્યા બચ્ચન માત્ર ડોઢ વર્ષની છે અને આટલી નાની વયમાં તેણે તે ઍટેંશન હાસલ કરી લીધું છે કે જે મોટા-મોટાના વશની વાત નથી હોતી. બચ્ચન ખાનદાનની આ ત્રીજી પેઢી અંગે લોકો તમામ વાતો જાણવા દરેક ક્ષણે આતુર રહે છે.
હવે આરાધ્યા અંગે જે નવા સમાચાર આવ્યાં છે, તે મુજબ ડોઢ વર્ષની વહાલી આરાધ્યા ગાયત્રી મંત્ર સમ્પૂર્ણ રીતે બોલી લે છે. એટલું જ નહીં, આરાધ્યા ને 1થી 10 સુધીના આંક અને એથી ઝેડ સુધીની એબીસીડી પણ આવડી ગઈ છે.
આ માહિતી આરાધ્યાના લવિંગ માતા ઐશ્વર્યા રાયે એક ડેલી ન્યુઝને આપેલી મુલાકાતમાં આપી. હજી થોડાંક દિવસ અગાઉ જ આરાધ્યાના દાદા અમિતાભ બચ્ચને બ્લૉગ ઉપર લખ્યુ હતું કે તેમનું જીવન તે વખતે સફળ થઈ ગયો કે જ્યારે આરાધ્યાએ તેમને દાદૂ કહ્યુ હતું. આરાધ્યા પ્રત્યે અમિતાભના આ શબ્દ તેમના મોહને સ્પષ્ટ રીતે દાખવે છે.
તાજેતરમાં જ માતા ઐશ અને પિતા અભિષેક બચ્ચને દુબઈ ખાતે આરાધ્યાના નામે 54 કરોડની સમ્પત્તિ ખરીદી હતી. આરાધ્યાને તાજેતરમાં જ ભોપાલ ખાતે જોવામાં આવી હતી કે જ્યાં તે પોતાના પરિવાર સાથે પોતાના દાદાને સાસરે ગઈ હતી. ભોપાલમાં અમિતાભ બચ્ચન સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. ભોપાલ ખાતે જયા બચ્ચનના માતાનું ઘર છે.