For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યંગ એક્ટર્સ માટે ગાવા માંગે છે અભિજીત ભટ્ટાચાર્ય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ઑગસ્ટ : સુપર સ્ટાર શાહરુખ ખાન માટે અનેક ફિલ્મોમાં પાર્શ્વ ગીતો ગાઈ ચુકેલા લોકપ્રિય ગાયક અભિજીત ભટ્ટાચાર્યે આગામી ફિલ્મ બેશરમમાં યુવા અભિનેતા રણબીર કપૂર માટે ગીત ગાયું છે.

abhijeet

અભિજીત કહે છે કે તેઓ જૂની પેઢીના અભિનેતાઓ માટે વઘુ ગીતો નથી ગાતાં, કારણ કે તેમનો અવાજ હંમેશ મુજબ ઘણો યુવા છે તથા તેઓ યુવા અભિનેતાઓ માટે ગાવા માંગે છે. એક ઇંટરવ્યૂ દરમિયાન અભિજીતે જણાવ્યું - હું હમેશા નવા તથા યુવા અભિનેતાઓ માટે ગાતો રહ્યો છું. મારો અવાજ ઘણો યુવા છે. જ્યારે શાહરુખ ખાન યુવાન હતાં, ત્યારે મેં તેમના માટે ગીતો ગાયા. હવે રણબીર કપૂર યુવા અભિનેતા છે, તો હું તેમના માટે ગાઈ રહ્યો છું.

શાહરુખના બૉલીવુડ કૅરિયરના પ્રારંભિક વર્ષોમાં અભિજીતે તેમના માટે ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં...', ‘ચલતે ચલતે...', ‘તુમ્હેં જો મૈંને દેખા...' જેવા ગીતો ગાયાં છે. અભિજીતે જણાવ્યું કે તેઓ જૂની પેઢીના અભિનેતાઓનો અવાજ નથી બનવા માંગતાં. 54 વર્ષીય અભિજીતે જણાવ્યું - જ્યારે કોઈ અભિનેતા ઉંમરલાયક થઈ જાય, તો હું તેના માટે ગાવાનું છોડી દઉ છું, કારણ કે મારો અવાજ તેમની ઉંમર સાથે બંધ નથી બેસતો. મારો અવાજ મારી ઉંમર વધવા સાથે વધુ નમણો થતો જાય છે.

English summary
Popular singer Abhijeet Bhattacharya, who has sung several songs for superstar Shah Rukh Khan, has now lent his voice to Bollywood's young hearthrob Ranbir Kapoor in "Besharam". He says he doesn't sing for the old crop of actors now because his voice is as young as ever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X