તનુશ્રીના વકીલે પોલિસને સોંપ્યો 40 પાનાંનો દસ્તાવેજ, નાના સામે ઠોસ પુરાવા
તનુશ્રીના વકીલે મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્રના મહિલા આયોગને 40 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે.
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદે આખા દેશમાં એક અલગ જ માહોલ ઉભો કરી દીધો છે. તનુશ્રીને બોલિવુડ અને ઈન્ડસ્ટ્રીની બહારથી પણ ભરપૂર સમર્થન મળી રહ્યુ છે. એ પણ સમાચાર આવ્યા હતા કે નાના પાટેકરે તનુશ્રીને કાયદાકીય નોટિસ મોકલી છે. હવે આ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. હવે તનુશ્રીના વકીલે મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્રના મહિલા આયોગને 40 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ દસ્તાવેજમાં વર્ષ 2008 માં દાખલ પોલિસ રિપોર્ટ અને અન્ય ફિલ્મ સંસ્થાઓ બાદના પત્રાચારમાં તેના ગઈ ફરિયાદ પણ શામેલ છે.

આ ઉપરાંત તનુશ્રીના વકીલે જણાવ્યુ કે, 'તનુશ્રી દત્તાનું નિવેદન પોલિસ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે અને તેના માટે તેઓ મહિલા પોલિસને બોલાવશે. સમા સિદ્દીકી (ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના નિર્માતા) પોલિસ પર બીજી એફઆઈઆર ના કરવાનું દબાણ કરી રહ્યા છે.' તેમણે આગળ જણાવ્યુ કે અમારી પાસે ઠોસ પુરાવા છે અને સાક્ષાઓ છે જેનુ આખુ લિસ્ટ આપીશું. તમને જણાવી દઈએ કે આ મામલે થોડા દિવસો પહેલા પ્રોડ્યુસર સમા સિદ્દીકીના વકીલ કિશોર ગાયકવાડે કહ્યુ હતુ કે 10 વર્ષ બાદ તનુશ્રી આ મામલાને હવા આપી રહી છે અને તે વખતે 2008 માં ગોરેગાંવ પોલિસ સ્ટેશનમાં જ્યારે તનુશ્રીના પરિવાર દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તો તે વખતે આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો. તો હવે એ જાણવુ જરૂરી છે કે તે સમયે તનુશ્રીના રિપોર્ટમાં શું દાખલ હતું.
#TanushreeDutta's lawyer submits a 40 page document to Mumbai police & Maharashtra State Commission for Woman in addition to her earlier complaint against Nana Patekar&others. It contains her earlier complaint to police filed in 2008&subsequent correspondence to other film bodies pic.twitter.com/A80h1LHPl1
— ANI (@ANI) 10 October 2018
જાણો શું છે સમગ્ર વિવાદ
એક એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ નાના પાટેકર પર માત્ર સંગીન આરોપ નહોતા લગાવ્યા પરંતુ સેટ પર પોતાની સાથે થયેલ મારપીટનો પણ ખુલાસો કર્યો હતો. તેના આ નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો હતો. તેણે કહ્યુ હતુ કે નાના પાટેકર વિશે દરેક જણ જાણે છે. તેમનો વ્યવહાર મહિલાઓ પ્રત્યે અપમાનજનક રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના લોકો તેમના વિશે બધુ જાણે છે કે તેમણે એક્ટ્રેસ સાથે મારપીટ અને છેડતી કરી છે.
યૌન શોષણ, અપમાન અને અન્યાય સામે બોલવાનું આ છે ઈનામ
તનુશ્રી દત્તાએ ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રી પર પણ 2005 માં આવેલી ફિલ્મ 'ચોકલેટ' ના નિર્માણ દરમિયાન તેની સાથે અનુચિત વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યુ હતુ કે, 'મને બે કાયદાકીય નોટિસ મળી. એક નોટિસ નાના પાટેકરથી અને બીજી વિવેક અગ્નિહોત્રીથી.' પોતાની પીઆર ટીમ શિમર એન્ટરટેઈનમેન્ટ દ્વારા જારી નિવેદનમાં દત્તાએ કહ્યુ, 'ભારતમાં યૌન શોષણ, અપમાન અને અન્યાય સામે બોલવાનું તમને આ ઈનામ મળે છે.'
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
