પીએમ મોદીના સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બન્યા અનુષ્કા-વરુણ
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા વરુણ ધવન પીએમ મોદીની અધ્યક્ષતાવાળા સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બની ચૂક્યા છે.
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા વરુણ ધવન પીએમ મોદીની અધ્યક્ષતાવાળા સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બની ચૂક્યા છે. તેઓ હવે આ અભિયાનનો પ્રચાર કરશે. આ વિશે જાણકારી વરુણ ધવને પોતાના ટ્વિટર દ્વારા આપી છે.
સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસડર બન્યા અનુષ્કા-વરુણ
વરુણ ધવને ટ્વિટ કર્યુ છે કે મને અને અનુષ્કાને સ્કિલ ઈન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર બનવા પર ગર્વ છે. વળી તેણે પીએમ નરેન્દ્ર મોદીના વિચારોન પણ પ્રશંસા કરી. તમને જણાવી દઈએ કે આ જોડી ટૂંક સમયમાં આવનારી ફિલ્મ ‘સૂઈ-ધાગા' માં જોવા મળવાની છે. બંને સ્ટાર્સ આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે.
આ પણ વાંચોઃ 5 વર્ષની ઉંમરથી આ બિમારીથી પિડાય છે પ્રિયંકા ચોપડા, ટ્વિટ કરીને કર્યો ખુલાસો
|
ફિલ્મ ‘સૂઈ ધાગાઃ મેઈડ ઈન ઈન્ડિયા'
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સૂઈ ધાગાઃ મેઈડ ઈન ઈન્ડિયા' એક ગરીબ પતિ-પત્નીની કહાની છે. વરુણ ધવન, અનુષ્કા શર્માના અભિનયથી સજેલી આ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયાએ કર્યુ છે. ફિલ્મમાં વરુણ અને અનુષ્કા પતિ પત્ની બન્યા છે. મનીષ શર્માએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ અનુ મલિકના સંગીતની ધૂનથી સજી છે. ફિલ્મ સૂઈ ધાગા 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
શું છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે સ્કિલ ઈન્ડિયા અભિયાન
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓમાંથી એક છે જેની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. PMKVY નો ઉદ્દેશ્ય દેશના યુવાનોને ઉદ્યોગો સાથે જોડાયેલી ટ્રેનિંગ આપવાનો છે જેનાથી તેમને રોજગાર મેળવવામાં મદદ મળી શકે. આમાં ટ્રેનિંગની ફીસ સરકાર ભોગવે છે. આ અભિયાન દ્વારા ઓછુ ભણેલા એટલે કે 10મુ, 12 મુ કકે ડ્રોપ આઉટ (વચમાં જ શાળા છોડનાર) યુવાનોને કૌશલ તાલીમ આપે છે. સરકારે 2020 સુધી PMKVY હેઠળ એક કરોડ યુવાનોને કૌશલ તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યુ છે.
આ પણ વાંચોઃ VIDEO: પ્રિયંકાએ નિક જોનસને બધાની સામે કિસ કરી મનાવ્યો બર્થડે