For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાણક્ય ફિલ્મને લઈ અજય દેવગનનો ખુલાસો, કહ્યું- ખરેખર મુંડન કરાવીશ

ચાણક્ય ફિલ્મને લઈ અજય દેવગનનો ખુલાસો, કહ્યું- ખરેખર મુંડન કરાવીશ

By Staff
|
Google Oneindia Gujarati News

વર્ષ 2020 શરૂ થતાની સાથે જ સિનેમાઘરમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયે રિલીઝ ફિલ્મ તાનાજી ધી અનસંગ વૉરિયર થઈ રહી છે. અજય દેવગન હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં અજય દેવગને છત્રપતિ શિવાજી મહારાજના વીર સેનાપતિ અને મરાઠા સરદાર તાનાજી માલુસરેનો રોલ નિભાવ્યો છે. અજય દેવગનની આ 100મી ફિલ્મ છે. જે બાદ આગામી સમયમાં અજય દેવગન પાસે કેટલીય દિલચસ્પ ફિલ્મો છે, આ યાદીમાં એક ચર્ચિત નામ ચાણક્ય પણ સામેલ છે.

અજય દેવગનનો ખુલાસો

અજય દેવગનનો ખુલાસો

ચાણક્યને લઈ લાંબા સમયથી આ વાત કહેવામાં આવી રહી હતી કે અજય પોતાની આ ફિલ્મને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતો નથી. તે એક પ્લાનિંગ અંતર્ગત આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન તેમણે કર્યો હતો.

સ્ક્રિપ્ટનું કામ ફાઈનલ સ્ટેજ પર

સ્ક્રિપ્ટનું કામ ફાઈનલ સ્ટેજ પર

જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ચાણક્યની ઘોષણા ઘણા સમય પહેલા જ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્ક્રિપ્ટનું કામ ફાઈનલ સ્ટેજ પર પહોંચીગયું છે. હવે અજય દેવગનના લુક ડિઝાઈનને લઈ કામ ચાલી રહ્યું છે જેના પર અજય દેવગને વાત કરી છે.

સંપૂર્ણ રીતે ચાણક્યનો ગેટઅપ

સંપૂર્ણ રીતે ચાણક્યનો ગેટઅપ

પોતાના કેરેક્ટરના લુકને લઈ અજય દેવગને કહ્યું કે આ ફિલ્મને શરૂ થવામાં હજુ સમય છે. સંપૂર્ણપણે મારો ચાણક્યનો ગેટઅપ હશે. ફિલ્મ શરૂ થવા પર હું જોઈશ કે પ્રૉસ્થેટિક મેકઅપ હશે કે પછી અસલીમાં માથું મુંડન કરાવું.

ચાણક્ય જેવા જ લુકમાં દેખાઈશ

ચાણક્ય જેવા જ લુકમાં દેખાઈશ

અજય દેવગણે કહ્યું કે એટલું તો નક્કી જ છે કે જે લુકમાં ચાણક્ય હતા, તેવા લુકમાં જ હું ફિલ્મમાં દેખાઈશ. આમાં કોઈ શક નથી કે તેમના લુકટી હટકર કોઈ લુક રાખવામાં આવશે.

જોઈ કે સાંભળી ના હોય તેવી

જોઈ કે સાંભળી ના હોય તેવી

નીરજ પાંડે ધૌની ફિલ્મ બનાવવાના સમયથી ચાણક્ય પર રિસર્ચ કરી રહ્યા છે. એક વેબસાઈટના અહેવાલ મુજબ ફિલ્મના કન્ટેન્ટ પર કામ થઈ ચૂક્યું છે. જ્યાં જોયેલી કે સાંભળેલી નાય હોય તેવી ઘટનાઓને નીરજ સામે લાવશે.

બે ભાગમાં બનશે ફિલ્મ

બે ભાગમાં બનશે ફિલ્મ

નીરજ પાંડે મુજબ એક ફિલ્મમાં ચાણક્યની સોચ અને જિંદગી દેખાડવી શક્ય નથી. આ ફિલ્મ બે પાર્ટમાં બનાવવામાં આવશે. જેનો ખુલાસો અજય દેવગન પહેલા જ કરી ચૂક્યા છે. અહેવાલ મુજબ પહેલા પાર્ટની કહાની મુજબ પૂરી તૈયારી થઈ ચૂકી છે.

દિલચસ્પ કહાની

દિલચસ્પ કહાની

જેટલી દિલચસ્પ કહાની હશે તેટલો જ દમદાર અજય દેવગણનું કેરેક્ટર હશે. અહેવાલો મુજબ અજય આ ફિલ્મ માટે સૌથી પહેલા પોતાના લુક પર કામ કરશે.

‘સબ કુશલ મંગલ' ફિલ્મ રિવ્યુઃ આ કહાનીમા ના કંઈ કુશલ છે, ના કંઈ મંગલ‘સબ કુશલ મંગલ' ફિલ્મ રિવ્યુઃ આ કહાનીમા ના કંઈ કુશલ છે, ના કંઈ મંગલ

English summary
Ajay Devgan revealed about Chanakya film, said - will shave really
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X