For Daily Alerts
જ્યારે અમિતાભ બની ગયા ગાંધી...
સદીના મહાન અભિનેતા જ્યારે પણ કઇ નવું કરે છે ત્યારે તે ઉડીને આંખે વળગે છે. જોકે બિગ બી હંમેશા લોકોને અભિભુત કરે છે, પરંતુ જ્યારે તેઓ ખાદીના વસ્ત્રો પહેરીને ગાંધીજીના સાબરમતિ આશ્રમમાં ચરખો કાંતવા બેઠા ત્યારે બાપૂની અનૂભુતિથી પોતે અભિભુત થઇ ગયા.
અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એમ્બેસડર છે. બિગ બીએ પોતાના અનુભવો બ્લોગ પર શેર કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે તેઓ અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચ્યા તો અભિભુત થઇ ગયા હતા. તેમણે રસ્તા પર જ પોતાના ચપ્પલ ઉતારી દીધા અને ખુલ્લા પગે જ આખા આશ્રમમાં ફર્યા. એ ક્ષણ મારા માટે અદભુત હતી.'
તેમણે લખ્યું હતું કે ' આશ્રમની પવિત્રતા અને શુદ્ધતા મને આવું કરવાથી રોકી શકી નહીં. મને આશ્રમમાં જતાં એવું લાગ્યું કે હું કોઇ મહાન વ્યક્તિના શરણમાં આવી ગયો છું.'
Comments
English summary
Amitabh Bachchan Goes Gandhi Way. Amitabh Bachchan posted his Charkha pictures on facebook "Happy Gandhi Jayanti".
Story first published: Wednesday, October 3, 2012, 18:18 [IST]