અમિતાભ બચ્ચન બીજી વાર થયા કોરોના પૉઝિટિવ, મહાનાયકે કહી આ વાત
બૉલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે.
મુંબઈઃ બૉલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ સાથે બિગ બીએ તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. મેગાસ્ટારે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'હું થોડા સમય પહેલા જ કોવિડ પોઝિટિવ બન્યો છુ. જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તેમનો ટેસ્ટ કરાવો. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેમના લક્ષણો કેટલા ગંભીર અથવા મધ્યમ હતા.

મંગળવારે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં લખ્યુ, 'હું થોડા સમય પહેલા જ કોવિડ પોઝિટિવ થયો છુ. જે કોઈપણ જે મારા સંપર્કમાં આવ્યા હોય તે કૃપા કરીને ટેસ્ટ કરાવી લો.' બિગ બીના આ ટ્વીટ બાદ તેમના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન કોવિડ પૉઝિટિવ આવ્યા બાદ અભિનેતાના આ ટ્વિટ પછી ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
વળી, અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'(KBC)ના આયોજકોને ઝટકો લાગ્યો છે. જે લોકો શોમાં અભિનેતાના સંપર્કમાં આવ્યા હતા તેઓને ચેપનો ખતરો છે. બિગ બીએ સંપર્કમાં આવેલા લોકોને પોતાનુ પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે બિગ બી આ બીજી વખત કોરોના પૉઝિટિવ આવ્યા છે. અગાઉ 2020માં, તેઓ પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથે હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. રોગચાળાનો પ્રકોપ હજુ પૂરો થયો નથી. શનિવારે(20 ઓગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,272 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન એક દિવસમાં 13,900 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 4.21 ટકા છે. દેશમાં કોરોના રિકવરી રેટ 98.58 ટકા પર પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
