‘અમિતાભ રામ, હું હનુમાન, સીતા ન બની શક્યાં જયા’
નવી દિલ્હી, 12 ઑક્ટોબર : સમાજવાદી પક્ષ (એસપી) માટે વીતેલી વાત થઈ ચુકેલ અમર સિંહનો દર્દ ફરી એક વાર છળી પડ્યો છે. પોતાના બડ઼ે ભૈયા અમિતાભનની બર્થ ડે પાર્ટીમાં આમંત્રણ ન મળવાથી આઘાત પામેલા અમર સિંહે ફરી એક વાર જણાવ્યું છે કે તેમને તો પોતાનાઓએ જ બર્બાદ કર્યાં છે. એક ટીવી ચૅનલ સાથે વાત કરતાં અમર સિંહે જણાવ્યું કે અમિતાભા જન્મ દિવસની પાર્ટીમાં 1000 લોકો આવ્યાં, પરંતુ તેમા મારો નંબર નહોતો અને મને આ વાતનો ખેદ પણ છે, પરંતુ હું આ માટે પોતાના મોટા ભાઈ અમિતાભને ભલુ-બૂરૂ નહિં કહી શકું, કારણ કે મને ખબર છે કે તેઓ મને જરૂર બોલવવા માંગતા હશે, પણ તેમને જયા ભાભીએ આમ કરતાં રોક્યા હશે.
જયા બચ્ચન અંગે વાત કરતાં અમર સિંહે જણાવ્યું કે તેમને પરિવાર કરતાં રાજકારણ વ્હાલું છે. તેથી તો તેમણે એસપીના રાજ્યસભાના સભ્યપદ માટે મારો સાથ છોડી નાંખ્યો. મેં જ તેમને રાજકારણની કક્કાવારી શિખવાડી હતી, પરંતુ તેઓ મારી સાથે રાજકારણ રમી ગયાં અને અમિતાભને મારાથી દૂર કર્યાં. અમિતાભ તો રામ છે અને હું હનુમાન, પરંતુ અફસોસ છે કે જયા ભાભી સીતા ન બની શક્યાં.
અમર સિંહે જણાવ્યું કે હું નાનો ભાઈ હોવા ખાતર પોતાના મોટા ભાઈ માટે કઈં જ નથી કરી શકતો. બસ એટલી જ દુઆ કરૂ છું કે તેઓ ખુશ રહે, સલામત રહે. અમર સિંહે જણાવ્યું કે જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ.... વો ફિર નહીં આતે... તો શક્ય છે કે હવે હું અને બચ્ચન પરિવાર ક્યારેય નહિં મળી શકીએ, પરંતુ અમિતાભ હંમેશા મારા દિલમાં આદર ભાવે રહેશે.
નોંધનીય છે કે જયા તરફથી અંબાણીના વેન્યુ પ્લેસમાં અપાયેલ અમિતાભની બર્થ ડે પાર્ટીમાં એસપી સુપ્રીમો મુલાયમ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ પહોંચ્યા હતાં.