Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાયક 2માં અરવિંદ કેજરીવાલ બનશે અનિલ કપૂર

મુંબઈ, 2 જાન્યુઆરી : જેમ કે સૌ જાણે છે કે બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરે પોતાની હિટ ફિલ્મ નાયકની સિક્વલ બનાવવાની વાત કહી છે કે જેના નિર્માતા તેઓ પોતે જ હશે. હવે જાણવા એમ મળે છે કે નાયક 3માં અનિલ કપૂર અરવિંદ કેજરીવાલની છાપ ધરાવતો રોલ કરવાના છે. અનિલ કપૂરે આ નિર્ણય દિલ્હી ચૂંટણી પરિણામો આવ્યા બાદ કર્યો છે.

arvind-anil
આપને જણાવી દઇએ કે ગત શનિવારે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં, ત્યારે તેમના શપથ ગ્રહણ સમારંભમાં આવનારા તેમના અનેક ટેકેદારોના હાથમાં કેજરીવાલના પોસ્ટર્સ હતાં કે જેમાં હિન્દી ફિલ્મ જગતના જાણીતા મુખ્ય અભિનેતાઓ ઉપર કેજરીવાલનો ચહેરો લગાવાયેલો હતો. આ પોસ્ટરોમાં પણ સૌથી ચર્ચિત પોસ્ટર હતો નાયક ફિલ્મના અનિલ કપૂરનો પોસ્ટર કે જેમાં અનિલના સ્થાને કેજરીવાલનો ચહેરો હતો.

હકીકતમાં લોકોને કેજરીવાલનો ચહેરો મહદઅંશે નાયક ફિલ્મમાં એક દિવસના મુખ્યમંત્રી બનનાર અનિલ કપૂર સાથે મળતો લાગે છે. નાયક ફિલ્મમાં સામાન્ય વર્ગની વ્યક્તિનો રોલ ભજવનાર અનિલ કપૂરને મુખ્યમંત્રી બન્યા બાદ ભ્રષ્ટ રાજકારણીઓ સામે ઝઝૂમતા અને વ્યવસ્થાને ભ્રષ્ટાચારમુક્ત કરતા દર્શાવાયાં છે. અનિલ કપૂર હવે નાયક 2 બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને તેમાં તેઓ એક સામાન્ય માણસ એટલે કે આમ આદમીમાંથી મુખ્યમંત્રી બનતા વ્યક્તિનો રોલ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X