For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાયક 2માં અરવિંદ કેજરીવાલ બનશે અનિલ કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જાન્યુઆરી : જેમ કે સૌ જાણે છે કે બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરે પોતાની હિટ ફિલ્મ નાયકની સિક્વલ બનાવવાની વાત કહી છે કે જેના નિર્માતા તેઓ પોતે જ હશે. હવે જાણવા એમ મળે છે કે નાયક 3માં અનિલ કપૂર અરવિંદ કેજરીવાલની છાપ ધરાવતો રોલ કરવાના છે. અનિલ કપૂરે આ નિર્ણય દિલ્હી ચૂંટણી પરિણામો આવ્યા બાદ કર્યો છે.

arvind-anil
આપને જણાવી દઇએ કે ગત શનિવારે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં, ત્યારે તેમના શપથ ગ્રહણ સમારંભમાં આવનારા તેમના અનેક ટેકેદારોના હાથમાં કેજરીવાલના પોસ્ટર્સ હતાં કે જેમાં હિન્દી ફિલ્મ જગતના જાણીતા મુખ્ય અભિનેતાઓ ઉપર કેજરીવાલનો ચહેરો લગાવાયેલો હતો. આ પોસ્ટરોમાં પણ સૌથી ચર્ચિત પોસ્ટર હતો નાયક ફિલ્મના અનિલ કપૂરનો પોસ્ટર કે જેમાં અનિલના સ્થાને કેજરીવાલનો ચહેરો હતો.

હકીકતમાં લોકોને કેજરીવાલનો ચહેરો મહદઅંશે નાયક ફિલ્મમાં એક દિવસના મુખ્યમંત્રી બનનાર અનિલ કપૂર સાથે મળતો લાગે છે. નાયક ફિલ્મમાં સામાન્ય વર્ગની વ્યક્તિનો રોલ ભજવનાર અનિલ કપૂરને મુખ્યમંત્રી બન્યા બાદ ભ્રષ્ટ રાજકારણીઓ સામે ઝઝૂમતા અને વ્યવસ્થાને ભ્રષ્ટાચારમુક્ત કરતા દર્શાવાયાં છે. અનિલ કપૂર હવે નાયક 2 બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને તેમાં તેઓ એક સામાન્ય માણસ એટલે કે આમ આદમીમાંથી મુખ્યમંત્રી બનતા વ્યક્તિનો રોલ કરશે.

English summary
Arvind Kejriwal has become the inspiration for Anil Kapoor who is all set to make Nayak 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X