Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મ 'The Creator Srijanhar'ના વિરોધમાં ઉતર્યુ બજરંગ દળ, જાણો શું છે આખો વિવાદ

The Creator Srijanhar: ધ ક્રિએટર-સર્જનહાર ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો છે. બજરંગ દળ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યુ છે. બજરંગ દળના સભ્યોએ ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો અને પીવીઆર સિનેમાની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. બજરંગ દળનો આરોપ છે કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે.

નોંધનીય છે કે આ ફિલ્મ 26 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે દેશભરના 250થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ બજરંગ દળે તેનો વિરોધ શરૂ કરી દીધો છે. બજરંગ દળનુ કહેવુ છે કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે.

The creator Srijanhar

ફિલ્મના નિર્માતાએ ફિલ્મના વિરોધ વચ્ચે તેનો બચાવ કર્યો છે. ફિલ્મના નિર્માતા કરાટે ગુરુજીએ કહ્યું કે અમે ફિલ્મની અંદર એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયા બદલી શકે છે, હું કોઈ ધમકીથી ડરતો નથી. આખરે તમે શા માટે ધર્મની રક્ષા માટે કોઈની હત્યા કરો છો, ધર્મને મારો અને મનુષ્યને બચાવો, શું તમે તમારા પરિવારને ગુમાવવા માંગો છો.

કરાટે ગુરુજીએ કહ્યું કે તે તમારા પર નિર્ભર છે કે તમે કયા ધર્મમાં રહેવા માંગો છો, તમારે કયા ધર્મમાં રહેવું જોઈએ તે જણાવવા માટે હું કોણ છું. આ ખૂબ જ સારો સંદેશ છે. અમે જે બતાવ્યું છે તે જોઈને એવું લાગે છે કે એક મુસ્લિમ છોકરો હિન્દુ છોકરીના પ્રેમમાં છે.

અમે એ પણ બતાવ્યું છે કે એક હિંદુ છોકરો મુસ્લિમ છોકરીના પ્રેમમાં પડે છે. સાથે જ એક શીખ છોકરાની વાર્તા પણ બતાવવામાં આવી છે. અમે આ ફિલ્મ એક સંદેશ સાથે બનાવી છે. અમે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયા બદલાઈ શકે છે, અમે આમાં કોઈ રહસ્ય બતાવ્યું છે, હું તેને જાહેર નહીં કરું.

દુનિયાને બદલવા માટે શું થઈ શકે છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી જ જોઈએ. હું કોઈથી ડરતો નથી, જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમનું હું સ્વાગત કરુ છુ. તે લોકો તેમના ધર્મને પ્રેમ કરે છે. આ દુનિયામાં કોઈ ધર્મ નથી, મારો હેતુ ધર્મનો નાશ કરવાનો છે. વિશ્વમાં શાંતિ અને પ્રેમ હોવો જોઈએ.

લોકોએ ધર્મના નામે હિંસા ન કરવી જોઈએ. ધર્મને મારી નાખો, માનવીને બચાવો, આ સંદેશ છે. લોકોને લાગે છે કે નાસ્તિકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે ખોટું છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આર્ય બબ્બર, રઝા મુરાદ, દયાનંદ શેટ્ટી મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. દયાનંદ શેટ્ટી એ જ અભિનેતા છે જે CID સીરિયલમાં દયાનું પાત્ર ભજવે છે. આ ફિલ્મ પ્રવીણ હિંગોનિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા રાજેશ કરાટે ગુરુજી છે, જેઓ માને છે કે સીમાઓ ખતમ કરીને દુનિયાને બચાવી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X