ખામીઓ સાથેનો સ્વીકાર શીખવાડે છે બર્ફી

આ ફિલ્મ જોયા બાદ દર્શકોને તેના પાત્રો ઉપર દયા નહિં, પણ પ્રેમ ઉભરાશે. રણબીર કપૂરનું પણ માનવું છે કે કદાચ આ ફિલ્મ જોયા બાદ આપને જિંદગી જીવવાની નવી રીત આવડી જશે. આ ફિલ્મના પાત્રો વગર કઈં બોલ્યે અને પોતાના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યા વગર પણ જીવનના દરેક પળને બહુ સુંદર રીતે અને પ્રેમથી જીવી જાણે છે.
વાર્તા-
દાર્જિલિંગ અને કોલકાતામાં શૂટ થયેલ આ ફિલ્મની સમગ્ર વાર્તા ફ્લેશબેકમાં ચાલે છે. બર્ફીની સ્ટોરી મર્ફી (રણબીર કપૂર)ની છે, જે બહેરો-મૂંગો છે. મર્ફીને બધા લાડમાં બર્ફી કહે છે. આ વાર્તા શ્રુતિ (ઇલિયાના ડી'ક્રૂઝ) અને મર્ફીની આસપાસના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે.
બર્ફી એક બહુ જ સાચ્ચો અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારો માણસ છે, જે પોતાના જીવનને કિંગસાઇઝ અને પ્રેમથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે. કોઈ પણ મુશ્કેલી આવે, બર્ફી ક્યારેય ગુસ્સો નથી કરતો. તે એક દિવસ શ્રુતિને મળે છે અને તેને ચાહવા લાગે છે. શ્રુતિ પોતાના માતા-પિતા સાથે દાર્જિલિંગમાં રહેવા આવેલી હોય છે, પરંતુ શ્રુતિના લગ્ન અગાઉથી જ તેના કૉલેજ કાળના મિત્ર સાથે નક્કી થઈ ચુક્યાં હોય છે.
પછી એક દિવસે બર્ફીની મુલાકાત ઝિલમિલ (પ્રિયંકા ચોપરા) સાથે થાય છે, જે ઑસ્ટિમ નામના રોગથી પીડાય છે. ઝિલમિલને તેના માતા-પિતા દુનિયાથી છુપાવીને રાખે છે. તેને બહારની દુનિયાનો ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે તેના માતા-પિતા દાર્જિલિંગ ખાતે રહેતાં તેના દાદા-દાદી પાસે મિલ્કતમાં ભાગ માંગવા જાય છે. એક બાજુ માતા-પિતા માટે ઝિલમિલની સંભાળ રાખવી મુશ્કેલ થઈ પડે છે, તો બીજી બાજું બર્ફી માટે ઝિલમિલની સંભાળ રાખવી બહુ જ સરળ હોય છે. ધીમે-ધીમે બંને એક-બીજાની બહુ નજીક આવી જાય છે અને તેમનો સંબંધ ઘણો ગાઢ થઈ જાય છે.
અભિનય-
બર્ફી ફિલ્મમાં દરેક પાત્રે અનોખું પરફૉર્મંસ આપ્યું છે. પ્રિયંકા અને રણબીરે સાબિત કરી આપ્યું કે પાત્ર કોઈ પણ હોય, તેમને માટે કશું જ મુશ્કેલ નથી. બંનેએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. બહેરા-મૂંગાના પાત્રમાં રણબીરે એવી એક્ટિંગ કરી છે કે બૉલીવુડના શ્રેષ્ઠ એક્ટરોમાં તેના નામનો સમાવેશ થઈ ગયો છે. પ્રિયંકના એક્સપ્રેશન તેમજ તેનો અંદાજ ફિલ્મ સમાપ્ત થવા સુધી દર્શકોને જકડી રાખે છે. ઇલિયાના અગાઉ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચુકી છે અને બર્ફીમાં પણ તેની એક્ટિંગ અપ ટુ ધી માર્ક રહી છે. બર્ફીમાં ઇલિયાના બહુ સુંદર તથા કૉન્ફિડંટ દેખાય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
