ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે થઈ કોરોના સંક્રમિત
ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે થઈ કોરોના સંક્રમિત
ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે પોતાના નવા ગીત અથવા આલ્બમને લઈ હંમેશા ચર્ચામાં બની રહે છે. ફરી એકવારઆમ્રપાલી દુબે ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે આમ્રપાલી દુબે કોરોના વાયરસ સંક્રમણની શિકાર થઈ ગઈ છે. તેમણે ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી છે. સાથે જ તેમણે પોતાના પોસ્ટ દ્વારા ફેન્સને તેમને દુઆઓમાં યાદ રાખવાની અપીલ કરી છે.
આમ્રપાલી થઈ કોરોના પોઝિટિવ
જણાવી દઈએ કે આમ્રપાલી દુબે કોવિડ પોઝિટિવ થયા બાદથી ઘરમાં જ ક્વોરેન્ટાઈન છે. આમ્રપાલી દુબેએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી લખ્યું, "હું તમને જણાવવા માંગું છું કે આજે સવારે મારો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અને મારો પરિવાર જરૂરી સાવધાનીઓ વરતી રહ્યા છીએ અને મેડિકલ કેર લઈ રહ્યા છીએ. ચિંતા ના કરો, અમે બિલકુલ ઠીક છીએ. બસ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો કે અમે જલદી સાજા થઈ જઈએ."
આમ્રપાલીના ફેન્સ દુખી થયા
ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબેને કોવિડ પોઝિટિવ થયા બાદ તેના ફેન્સ ઘણા દુખી અને પરેશાન થઈ ગયા છે. ફેન્સ આમ્રપાલીની પોસ્ટ પર તેના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહિ, મોનાલિસા, કાજલ રાઘવાની અને નિરહુઆ દિનેશ લાલ યાદવે પોસ્ટ પર કોમેન્ટ કરી આમ્રપાલી દુબેને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.
કોરોનાનો શિકાર કઈ રીતે થી
મીડિયા અહેવાલો મુજબ આમ્રપાલી દુબે કેવી રીતે કોરોના સંક્રમિત થઈ તે વિશે હજી માલુમ પડ્યું નથી. જો કે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પોતાની ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે કોરોનાના લપેટામાં આવી ગઈ. દેશમાં કોરોનાવાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં કલાકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોવિડ પ્રોટોકોલ અંતર્ગત હરેક સાવધાની વરતતાં શૂટિંગનો ભાગ બને.