‘અમિતાભ-જયા’ ઉજવે છે લગ્નની 40મી વર્ષગાંઠ
મુંબઈ, 3 જૂન : બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પત્ની અભિનેત્રી જયા બચ્ચને સોમવારે પોતાના લગ્નની 40મી વર્ષગાંઠ ઉજવી. બંનેએ આ પ્રસંગે સાથ પસાર કરેલી પળો યાદ કરી. અમિતાભે જણાવ્યું કે ઈશ્વરની તેમની ઉપર મોટી કૃપા છે કે તેમને આટલો સારો પરિવાર મળ્યો.
અમિતાભે બ્લૉગ ઉપર લખ્યું - આજે 3જી જૂન, 2013ના રોજ લગ્નના 40 વરસ પૂર્ણ થઈ ગયાં. છેલ્લા 40 વર્ષો જયા અને મેં સાથ વિતાવ્યાં. આ આખી ઝિંદગી છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને અભિમાન, ચુપકે ચુપકે, શોલે અને ઝંજીર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બિગ બીએ બ્લૉગ ઉપર લખ્યું - 40 વરસ અગાઉ ખૂબ જ સાદગીસભર સમારંભમમાં અમારા લગ્ન સમ્પન્ન થયા હતાં. દક્ષિણ મુંબઈના માલાબાર હિલ્સ ખાતે એક મિત્રના ઘરે સાદાઈથી અમારા લગ્ન થયા હતાં. કોઈ પણ ધૂમ-ધડાકા કે આડંબર વગર બધું પૂર્ણ થયુ હતું.
અમિતાભે લખ્યું - અમે એક-બીજાને વાયદો કર્યો હતો કે જો ઝંજીર સફળ થઈ, તો અમે લગ્ન કરી લઇશું. આજે અમે એક પુત્ર-પુત્રી અને ત્રણ બાળકોના દાદા-દાદી અને નાના-નાની છીએ. ઈશ્વરની મોટી કૃપા રહી છે આજે અમને વહુ-દીકરા, દીકરી-જમાઈ તથા આટલા સારા વેવાઈ મળ્યાં છે.
અમિતાભ બચ્ચનને સવારથી જ ઇંટરનેટ ઉપર લગ્નની વર્ષગાંઠે શુભેચ્છાઓ મળી રહી છે. તેમણે ટ્વિટરના માધ્યમથી શુભેચ્છાઓ આપનારનો આભાર વ્યક્ત કર્યોં. અમિતાભે લખ્યું - સૌનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર. ઈશ્વર આપને આશીર્વાદ આપે.