બિપાશાનું Boycott : હમશકલ્સથી બહુ નિરાશ છું, તેથી નો પ્રમોશન!
મુંબઈ, 18 જૂન : સાજિદ ખાનની હમશકલ્સ ફિલ્મનું જ્યારથી પ્રમોશન શરૂ થયું છે, ત્યારથી વિવાદ શરૂ થયો છે, કારણ કે ફિલ્મમાં મહત્વનો રોલ ભજવતાં બિપાશા બાસુ પ્રમોશનમાં સતત ગેરહાજર છે. જોકે સાજિદ ખાન વારંવાર આમ જ કહે છે કે બિપાશા બાસુ અને તેમની વચ્ચે કોઈ પણ જાતનો વિવાદ નથી થયો અને તેઓ નથી જાણતાં કે બિપાશા કેમ પ્રમોશનમાં ભાગ નથી લહી રહ્યાં. સાથે જ સાજિદ ખાને હમશકલ્સ અંગેની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન સૌની માફી પણ માંગી, કારણ કે બિપાશા હાજર નહોતા. ખેર, સાજિદ જે કંઈ કહે, પણ આખરે બિપાશાએ મૌન તોડ્યું અને ટ્વિટર વડે પોતાની વાત સૌની સામે મૂકી છે. બિપાશાનું કહેવું છે કે તેઓ હમશકલ્સ પિલ્મ જે રીતે બની છે, તેનાથી ખુશ નથી અને તેથી જ તેઓ પ્રમોશન નથી કરી રહ્યાં.
બિપાશા બાસુના નિવેદન મુજબ - હમશકલ્સના પ્રમોશમાં મારી ગેરહાજરી અંગે જે પણ વાતો કે સમાચારો ચાલી રહ્યાં છે, તે તમામને ખતમ કરવા માટે હું આ લખી રહી છું. હું આ બાબતની સમ્પૂર્ણ જવાબદારી લઉ છું કે હું હમશકલ્સ ફિલ્મનો ભાગ બની તો માત્ર એટલા માટે, કારણ કે મેં ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શક તમામ ઉપર ભરોસો મૂક્યો, પણ ફિલ્મ માટે ડબિંગ કર્યા બાદ કે જે ફિલ્મમાં હોવાના પગલે મારી જવાબદારી હતી, જ્યારે ફિલ્મનું અંતિમ પરિણામ સામે આવ્યું, તો તે બહુ નિરાશાજનક હતું. મને સમજાયુ નહીં કે ફિલ્મનું પ્રમોશન કેમ કરૂ. તેથી મેં પ્રમોશન્સથી દૂર રહેવું બહેતર સમજ્યું.
બિપાશાના સ્ટેટમેંટ મુજબ - મને સમ્પૂર્ણ આશા છે કે હમશકલ્સ ફિલ્મ આજના યુવાનોને બહુ ગમશે અને એક મજાની ફિલ્મ સાબિત થશે. ફિલ્મ સાથે જે લોકો જોડાયેલાં છે, તેમણે બહુ મહેનત કરી છે. હું ફૉક્સ સ્ટાર, જેમની સાથે મેં રાઝ 3 જેવી સુપર હિટ ફિલ્મ આપી અને નિર્માતા વાસુ ભાગનાનીને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવુ છું. સાથે જ હું તમામ કો-સ્ટાર્સ રીતેશ દેશમુખ, તમન્ના ભાટિયા, એશા ગુપ્તા, રામ કપૂર અને તમામ ટેક્નીશિયનોને પણ શુભેચ્છા પાઠવુ છું. ક્યારેક-ક્યારેક કોઈ સર આપ અંત સુધી પૂર્ણ નથી કરી શકતાં. હમશકલ્સની સફર તેમાંની એક છે. તે માટે કોઈને પણ જવાબદાર ન ઠેરવી શકાય.
ચાલો હાલ તો તસવીરો સાથે જોઇએ પોતાની ફિલ્મની પ્રમોશનથી દૂર રહેનાર બૉલીવુડ સ્ટાર્સ :

બિપાશા બાસુ
બિપાશા બાસુના આ સ્ટેટમેંટથી અમુક વસ્તુઓ તો સ્પષ્ટ થઈ ગઈ. હમશકલ્સ સાથે જોડાયેલ સૌથી જાણીતી વ્યક્તિ એટલે કે સાજિદ ખાનનું નામ ન લઈ બિપાશાએ સ્પષ્ટ કરી દીધું કે સાજિદ ખાન સામે જ બિપાશાની મૂળ નારાજગી છે. હવે જોઇએ સાજિદ ખાન આ મુદ્દે કેવા પ્રત્યાઘાત આપે છે.

કરીના-શાહિદ
મિલેંગે મિલેંગેમાં કામ કરનાર અને તે વખતના પ્રેમી યુગલ કરીના કપૂર તથા શાહિદ કપૂરે ફિલ્મનું પ્રમોશન નહોતુ કર્યું. હકીકતમાં ફિલ્મ પૂર્ણ થયા બાદ બંનેનું બ્રેક-અપ થઈ ગયું અને એટલે જ બંનેએ સાથે પ્રમોશન કરવાનું ટાળ્યુ હતું. અહીં સુધી કે શાહિદ-કરીનાએ ફિલ્મના પ્રમોશનલ વીડિયો માટે શૂટિંગનો પણ ઇનકાર કર્યો હતો અને બંનેએ ફિલ્મનું પ્રમોશન અલગ-અલગ કર્યુ હતું.

અક્ષય કુમાર
અક્ષય કુમારે જોકર ફિલ્મનું પ્રમોશન નહોતુ કર્યું. ફિલ્મના નિર્માણ દરમિયાન અક્ષય અને દિગ્દર્શક શિરીષ કુંદર વચ્ચે ખટરાગ થયુ હતું. અક્ષયે તેમની અપકમિંગ ફિલ્મ ઓહ માય ગૉડ માટેનું પ્રમોશન શરૂ કરી દીધુ હતું.

અભય દેઓલ
અભય દેઓલને શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મનો મહિમા ગાવો નથી ગમતું. તેમનું કહેવું છે કે ફિલ્મની ચર્ચા તેના કંટેંટના કારણે થાય, નહીં કે એક્ટર્સના પહેરવેશના કારણે. સ્ટાઇલિંગના પ્રદર્શન ઉપર ઘણી એનર્જી વેડફી દેવાય છે. અભય દેઓલે આ વાત પોતાની ફિલ્મ આયેશાના પ્રમોશનના સવાલ અંગે કહી હતી. આ ફિલ્મ જેન ઑસ્ટિનની જાણીતી નવલકથા એમ્મા પર આધારિત હતી.

કંગના રાણાવત
જ્યારે શૂટઆઉટ એટ વડાલાનું પ્રમોશન ચાલતુ હતું, ત્યારે તમામના મનમાં પ્રશ્ન હતો કે કંગના ક્યાં છે? કંગના રાણાવત એ વાતથી નારાજ હતાં કે પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગ બબલી બદમાશ હૈ...ને વધુ મહત્વ અપાઈ રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
