Pics : કૅંસર મુક્ત મનીષા ખુશખુશાલ, તસવીરો પોસ્ટ કરી
મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં બાદ ખુશખુશાલ અને હર્ષિત છે. તેમણે આ બાબતની સાબિતી રૂપે પોતાની ખુશખુશાલ અને સ્મિત ફરકાવતી તસવીરો પોતાના ફૅસબુક વૉલ ઉપર પોસ્ટ પણ કરી છે.
ન્યુયૉર્ક ખાતે છ માસ સારવાર માટે રહ્યા બાદ ગત માસના અંતે મનીષા કોઈરાલા સ્વદેશ પરત ફર્યાં હતાં. કૅંસર મુક્ત થઈ પરત ફરેલાં મનીષા પહેલાની જેમ જ સુંદર નજરે પડી રહ્યા હતાં. હવે તેઓ સ્વદેશમાં પોતાના ઘરે આરામ કરી રહ્યાં છે અને પોતાની જાતને ખૂબ જ ખુશ અનુભવી રહ્યાં છે. આ બાબતની સાબિતી આપતી કેટલીક બોલતી તસવીરો પણ મનીષાએ ફેસબુક વૉલ ઉપર પોસ્ટ કરી છે.
બૉલીવુડમાં બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી તથા દિલ સે જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 42 વર્ષીય અભિનેત્રી મનીષા કોઈરાલાને ગત વર્ષે 28મી નવેમ્બરના રોજ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઓવેરિયન કૅંસરનું નિદાન થયાં બાદ મનીષા કોઈરાલા સારવાર માટે અમેરિકા ચાલ્યા ગયા હતાં. છેલ્લે તેઓ રામ ગોપાલ વર્મા નિર્મિત ભૂત રિટર્ન્સ નામની બૉલીવુડ ફિલ્મમાં દેખાયા હતાં.

જળવાયેલું સૌંદર્ય
મનીષા ભારત પહોંચી ગયાં છે અને હવે તેઓ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ અગાઉની જેમ જ સુંદર દેખાય છે.

ઘરે છે મનીષા
મનીષા હાલ આરામ કરી રહ્યાં છે. સ્વદેશ પરત ફર્યાં બાદ મનીષા મુંબઈમાં અંધેરી ખાતે આવેલ પોતાના ઘરે છે અને સમ્પૂર્ણ સ્વસ્થ પણ છે.

ઓવેરિયન કૅંસર
ગત વર્ષ 28મી નવેમ્બરના રોજ મનીષા કોઈરાલા અચાનક બેભાન થઈ જતાં તેમને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં ટેસ્ટ કરાયા બાદ સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર છે.

અમેરિકામાં સારવાર
મનીષા સારવાર માટે અમેરિકા ગયા હતાં. તેમની ઉપર ન્યુયૉર્ક ખાતેની એક જાણીતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
