સુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાનીની આજે ફરીથી CBI ટીમ કરી રહી છે પૂછપરછ
સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાની મુંબઈ સ્થિત ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યા જ્યાં સીબીઆઈની ટીમ પહેલેથી જ હાજર હતી.
નવી દિલ્લીઃ સુશાંત સુસાઈડ કેસની જવાબદારી સીબીઆઈએ સંભાળી લીધી છે જેના કારણે તેમના પરિવાર અને ફેન્સને આશા છે કે જલ્દી આ કેસના બધા રાઝ ખુલશે. સીબીઆઈ અત્યારે કેસમાં એ લોકોની પૂછપરછ કરી રહી છે જે સુશાંતના મોત બાદ સૌથી પહેલા તેમના રૂમમાં પહોંચ્યા હતા. રવિવારે સવાલોના જવાબ આપવા માટે સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાની મુંબઈ સ્થિત ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યા જ્યાં સીબીઆઈની ટીમ પહેલેથી જ હાજર હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખામીઓ વિશે પણ કર્યા સવાલ
આ પહેલા શનિવારે સીબીઆઈના બે અધિકારી બાંદ્રા પોલિસ સ્ટેશન ગયા હતા જ્યાં તેમને પોલિસ અધિકારઓ પાસેથી કેસની માહિતી લીધી. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખામીઓ વિશે પણ સવાલ કર્યા. આના પર જવાબ આપીને બાંદ્રા પોલિસની ટીમે કહ્યુ કે તે ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ પાંચ ડૉક્ટરોએ કર્યુ હતુ જેના કારણે તેમને આમાં ગરબડ લાગી નહિ. બાદમાં સીબીઆઈની એક ટીમ કૂપર હોસ્પિટલ ગઈ જ્યાં સુશાંતનુ પોસ્ટમોર્ટમ થયુ હતુ.
ડમી બૉડી સાથે સીન કર્યો રિક્રિએટ
વળી, બીજી તરફ સીબીઆઈની ટીમ ફોરેન્સિક એક્સપર્ટસ સાથે શનિવારે સુશાંતના ફ્લેટમાં પણ ગઈ હતી જ્યારં અભિનેતાનુ શબ મળ્યુ હતુ. આ દરમિયાન સુશાંતના કુક નીરજ, સિદ્ધાર્થ પિઠાની પણ સાથે હતા. ફોરેન્સિક ટીમ એક ડમી ડેડબૉડી પણ લઈને ગઈ હતી ત્યારબાદ ક્રાઈમ સીનને રિક્રિએટ કરવામાં આવ્યો. ફોરેન્સિક એક્સપર્ટે સુશાંતના ફ્લેટથી લઈને છત સુધી તપાસ કરી હતી.
ભાઈએ સિદ્ધાર્થ પર ઉઠાવ્યા સવાલ
સુશાંતના પિતરાઈ ભાઈ અને ભાજપ ધારાસભ્ય નીરજ સિંહ બબલુના જણાવ્યા મુજબ તેમને સીબીઆઈ પર પૂરો ભરોસો છે. તેમણે કહ્યુ કે સંદીપ અને સિદ્ધાર્થને થર્ડ ડિગ્રી આપીને પૂછપરછ કરવી જોઈએ. મને સિદ્ધાર્થ પર પહેલેથીજ શંકા હતી કારણકે અગ્નિદાહમાં મે નોટિસ કર્યુ કે સિદ્ધાર્થના ચહેરા પર કોઈ દુઃખ નહોતુ. આ ઉપરાંત તે આ કેસમાં બીજો શંકાસ્પદ વ્યક્તિ સંદીપ છે.
તેલંગાનાઃ કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, બાજુમાં છે એરફોર્સ એકેડમી