સોનચિડીયા: રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ફિલ્મ
સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને આશુતોષ રાણાની ફિલ્મ સોનચિડીયા રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગયી છે.
સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને આશુતોષ રાણાની ફિલ્મ સોનચિડીયા રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગયી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર ડાકુ મલખાન સિંહ ઘ્વારા દાવો ઠોકવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત બૂકમાંથી લેવામાં આવી છે અને તેના માટે તેની પરમિશન પણ લીધી નથી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર ડાકુ માલખાન સિંહ અને ડાકુ મલ સિંહ ઘ્વારા જનહિત અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી મધ્યપ્રદેશ હાઇકોર્ટ કરશે.
આ ફિલ્મ 70 ના દશકમાં ચંબલના વિસ્તારમાં ડાકુઓની ટોળકી પર આધારિત છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે ડાકુ માલખાન સિંહના જીવન પર એક પુસ્તક લખવામાં આવ્યું છે, જેનું નામ 'મલખાન - ધ સ્ટોરી ઓફ બેન્ડિટ કિંગ' છે. મલખાન સિંહનું કહેવું છે કે ફિલ્મની કહાની આ પુસ્તક પર આધારિત છે.
આપને જણાવી દઈએ કે ડાકુ મલખાન સિંહનું નામ 80 ના દાયકામાં ચંબલના વિસ્તારોમાં ખુબ જ ફેમસ હતું. તે સમયે તેઓ પોતાને બાગી ગણાવતા હતા પરંતુ તેમના પર લૂંટફાટ, હત્યા અને કિડનેપિંગના 100 કરતા પણ વધારે કેસો નોંધાયેલા હતા.
આ પણ વાંચો: અક્ષય કુમારની 'હેરા ફેરી-3'- જલદી જ શરૂ થશે શૂટિંગ, 2020માં ધમાકો ફાઈનલ
આપને જણાવી દઈએ કે સોનચિડીયા ફિલ્મ આજે રિલીઝ થઇ ચુકી છે. હવે ફિલ્મ અંગે કોર્ટ શુ નિર્ણય આપશે તે તો સમય જ બતાવશે.